હોમી દસ્તુર માર્ગ પર અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ગુનો નોંધાયો

હોમી દસ્તુર માર્ગ પર અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ગુનો નોંધાયો
હોમી દસ્તુર માર્ગ પર અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ગુનો નોંધાયો

શહેરમાં અવારનવાર વાહનચાલકો બેફામ બની અકસ્માત સર્જતા હોય છે. ત્યારે ગઈ મોડી રાતે હોમી દસ્તુર માર્ગ પર બેફામ બનેલા કાર ચાલકે અકસ્માત સર્જી આરએમસીનો ઓટલો તોડી નાંખ્યો હતો. બનાવ અંગે એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર ચાલકની ધરપકડ કરી હતી. બનાવ અંગે એ. ડિવિઝન પોલીસ મથકના કોન્સ્ટેબલ વિજયભાઈ મકવાણાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગત મોડી રાતે સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે યાજ્ઞિક રોડ જાગનાથ પોલીસ ચોકી નજીક આવેલ મલબારના શો-રૂમ પાસે રોડ ઉપર આવતા એક સફેદ કલરની ક્રુઝ કાર મહાનગર પાલીકાના જાહેર રોડ ઉપર ઓટલા પર ચડીને પડેલ હોય હતી. કારની નંબર પ્લેટ જોતા નંબર જીજે-03-ઈસી-3900 જોવામા આવેલ અને કારનો ચાલક પણ ત્યાં હાજર હોય જેનુ નામ પુછતા શ્રેયંસ જગદીશ પાનસોરા (ઉ.વ.24),(રહે. કે.ક.વી હોલ પાસે સામ્રાજ્ય એપાર્ટમેન્ટ પહેલા માળે બ્લોક નં- 104, ન્યુ કોલેજવાડી શેરી નં- 03) હોવાનુ જણાવ્યું હતું. 

કાર ચાલકે પોતાની ક્રુઝ કાર બેફીકરાઈ અને ભયજનક રીતે લોકોની જીદગી જોખમાઈ એ રીતે ચલાવી મહાનગરપાલીકાના જાહેર રોડના ઓટલા સાથે ભટકાડી ઓટલો તોડી નાખી નુકશાન કરી તેમજ અકસ્માત કરેલ હોય જેથી કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.