યુનિવર્સિટી રોડ પર શ્રમિકે વૃક્ષ સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો

યુનિવર્સિટી રોડ પર શ્રમિકે વૃક્ષ સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો
યુનિવર્સિટી રોડ પર શ્રમિકે વૃક્ષ સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો

યુનિવર્સિટી રોડ પર શ્રમિકે વૃક્ષ સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. મૃતક ભરતભાઈ રાઠોડ પરિવારથી અલગ રહેતા હતા, આપઘાતનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, ભરતભાઈ ગીધાભાઈ રાઠોડ (ઉ.વ. 50, રહે.ગંગોત્રી મેઈન રોડ, સમ્રાટ હોસ્ટેલની સામે યુનિવર્સિટી રોડ પર ઝૂંપડામાં) આજે સવારે તેઓ પોતાના ઝુંપડા પાસે હતા ત્યારે બાવળના ઝાડમાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. આડોશ-પાડોશમાં રહેતા લોકોનું ધ્યાન પડતા તુરંત ભરતભાઈને નીચે ઉતારી 108માં જાણ કરતા 108ના ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરેલ. યુનિવર્સિટી પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં ખસેડ્યો હતો.પરિવારજનોની પૂછપરછ કરતા મૃતકના ભાઈ ગુલાબભાઇએ જણાવ્યું હતું કે, ભરતભાઈ છૂટક મજૂરી કરતા હતા. તેઓ એક વર્ષથી પોતાના પરિવારથી અલગ રહે છે. તેઓ સાતભાઈમાં વચેટ હતા. સંતાનમાં ત્રણ દીકરા અને એક દીકરી છે. પ્રૌઢે અંતિમ પગલું ભરી લેતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.