માણાવદર તાલુકાના નાનડિયા ગામે રહેતા મધુબેન દેવશીભાઈ બોરીચા ઉ. વ. ૬૦ નામના વૃદ્ધાને મંગળવારે પાડોશમાં રહેતા મંગાભાઈ જેઠાભાઈ પરમારે ‘તારા ઘરવાળા નજરના સારા નથી અને અમારા ઘરની સામે કેમ જોતો જાય છે’ તેમ કહી મંગાભાઈ તેમજ તેના પત્ની અસ્મિતાબેન અને પુત્ર જગદીશે ઉશ્કેરાઈ જઈને ગાળો કાઢી અને જગદીશે કુહાડી વડે હુમલો કરી વૃદ્ધાને હાથમાં અને તેના પતિને મૂંઢ ઈજા કર્યાની ફરિયાદ થતાં પોલીસે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
જયારે સામા પક્ષે અસ્મિતાબેન મનસુખભાઈ પરમાર તેમના ઘરે રોટલીનો લોટ બનાવતા હતા ત્યારે દેવશીભાઈ ગોવિંદભાઈᅠ બોરીચાએ આવી સમાધાન કેમ કરતા નથી તેમ કહી બોલાચાલી કરતા તેમને સમજાવવા જતા દેવશીભાઈએ ઉશ્કેરાઈ જઈને લોખંડનો પાઇપ અસ્મિતાબેનને માથામાં જીકી દીધો હતો. તેમજ દેવશીભાઈનો દીકરો દીપક અને પત્ની મધુબેનને પણ મહિલાને માર મારીને ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.