કાલાવાડમાં વારંવારના ઝઘડાથી ત્રાસી વૃધ્‍ધાએ આપઘાત કરી લીધો

કાલાવાડમાં વારંવારના ઝઘડાથી ત્રાસી વૃધ્‍ધાએ આપઘાત કરી લીધો
કાલાવાડમાં વારંવારના ઝઘડાથી ત્રાસી વૃધ્‍ધાએ આપઘાત કરી લીધો

કાલાવડ ટાઉન પોલીસ સ્‍ટેશનમાં પ્રફુલભાઈ ઉર્ફે રસીકભાઈ ઉગાભાઈ દેવાભાઈ સોંદરવા, ઉ.વ.૪૦, રે. પી.ડબલ્‍યુ ડી સર્કલની બાજુમાં આંબેડકરનગર, કાલાવડવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, આરોપી અમુભાઈ  ચનાભાઈ સોલંકીના પરીવાર સાથે આશરે દોઢેક વર્ષ પહેલા ઝઘડો થયેલ હોય જેનું મનદુઃખ રાખી આરોપીઓ અમુભાઈ ચનાભાઈ સોલંકી, હંસાબેન અમુભાઈ સોલંકી, રેખાબેન અમુભાઈ સોલંકી, ગોવિંદ ચનાભાઈ સોલંકી, જયાબેન ગોવિંદભાઈ સોલંકી, વિનોદભાઈ અમુભાઈ સોલંકી, સોનલબેન વિનોદભાઈ સોલંકી, કિશોરભાઈ અમુભાઈ સોલંકી, જયોતીબેન કિશોરભાઈ સોલંકી, વિરજીભાઈ ડાયાભાઈ સોંદરવા એ અવાર નવાર ઝઘડાઓ કરી માથાકુટ કરી ત્રાસ આપતા હોય માથાકુટથી કંટાળી જઈ આરોપીઓના અસહ્ય ત્રાસના લીધે ફરીયાદી પ્રફુલભાઈ ઉર્ફે રસીકભાઈના માતા રામીબેન ઉગાભાઈ દેવાભાઈ સોંદરવા, ઉ.વ.૬પ વાળીથી ત્રાસ સહન ન થતા રામીબેન ફીનાઈલ પી લેતા સારવારમાં દાખલ કરતા ચાલુ સારવાર દરમ્‍યાન મૃત્‍યુ પામેલ છે.