શહીદ જવાનોના પરિવાર માટે નિવૃત શિક્ષિકાનું રૂ.50 હજારનું દાન

શહીદ જવાનોના પરિવાર માટે નિવૃત શિક્ષિકાનું રૂ.50 હજારનું દાન
શહીદ જવાનોના પરિવાર માટે નિવૃત શિક્ષિકાનું રૂ.50 હજારનું દાન

સરકારી શાળાના નિવૃત શિક્ષિકા ઇલાબેન રાજ્યગુરૂ સેવામાં પ્રવૃત

નિવૃતી પછી પણ શિક્ષણ અને રાષ્ટ્રસેવામાં પ્રવૃત રહેલા ઇલાબેન બાલક્રિષ્નભાઈ રાજ્યગુરૂ દરવર્ષે પોતાના જન્મ દિવસે વિર શહીદ જવાનોના પરિવાર માટે દાન આપે છે. તે હેતુથી ઇલાબેને જય જવાન નાગરિક સમિતિ સુરતને સૈનિક પરિવારોને સહાય માટે રૂ. 50,000 નો ચેક અર્પણ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

નગર પ્રાથમિક શાળા ક્રમાંક 272 માંથી 2020 માં નિવૃત થયેલા ઇલાબેન રાજ્યગુરુ સેવા નિવૃત્તિ પછી પણ વિવિધ સેવા પ્રવૃતિમાં સક્રિય છે. આહવા-ડાંગ અને પોરબંદર વિસ્તારમાં નિરાધાર બાળકોના શિક્ષણ માટે હંમેશા પ્રવૃત્તિશીલ છે.

Read About Weather here

જય જવાન નાગરિક સમિતિ સુરતના ટ્રસ્ટી કાનજીભાઈ ભાલાળા વધુમાં જણાવ્યું કે સુરત શહેર રાષ્ટ્રભાવના સાથે ધબકે છે. શાળાના બાળકો, શિક્ષકો, પ્રોફેસરો અને રત્ન કલાકારો ખુબ ઊંચી ભાવના સાથે સૈનિકોના પરિવાર માટે સહયોગ આપે છે. ઇલાબેન રાજ્યગુરૂની સેવા પ્રવૃત્તિઓ અનેક નિવૃત કર્મચારીઓ માટે પ્રેરણારૂપ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here