‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ચાહકોમાં ઘણી જ લોકપ્રિય સિરિયલ છે. આ સિરિયલે જુલાઈમાં 14 વર્ષ પૂરા કર્યા હતા. 14 વર્ષ દરમિયાન ઘણાં કલાકારોએ સિરિયલ છોડી તો ઘણાં કલાકારો નવા આવ્યા છે.
નોંધનીય છે કે સિરિયલના ઘણાં જૂના કલાકારો જોવા મળતા નથી. ચાહકોએ જૂના કલાકારોને પાછા લાવવાની માંગણી કરી છે, પરંતુ હવે તે શક્ય નથી. આથી જ મેકર્સ સિરિયલમાં પોપટલાલના લગ્ન કરાવે તેવી શક્યતા વધારે છે.
![હવે મિસિસ પોપટલાલની થશે ધમાકેદાર એન્ટ્રી …!! પોપટલાલ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
Visit Saurashtra Kranti Homepage here
હાલમાં જ તારક મહેતાના પાત્રમાં સચિન શ્રોફ જોવા મળ્યો છે. આ દરમિયાન શ્યામ પાઠક એટલે કે પત્રકાર પોપટલાલે પોતાના લગ્ન અંગે વાત કરી હતી.
રાજ અનડકટ તથા શૈલેષ લોઢાએ ‘તારક મહેતા..’ સિરિયલ છોડી દીધી છે. બંને અન્ય પ્રોજેક્ટ્સમાં કામ કરવા ઉત્સુક છે. ઘણાં અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યા છે કે તેમને પ્રોડ્યૂસર અસિત મોદી સામે વાંધો હતો. અસિત મોદીએ સિરિયલમાં નવા પાત્રો ઉમેરાશે તેમ કહ્યું હતું કે, શૈલેષ લોઢાની જગ્યાએ સચિન શ્રોફને લઈ લેવામાં આવ્યો છે. પરતું હજુ ચાહકોને મહેતા સાહેબ તરીકે સચિન શ્રોફને સ્વીકારવામાં સમય લાગશે.
![હવે મિસિસ પોપટલાલની થશે ધમાકેદાર એન્ટ્રી …!! પોપટલાલ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
સો.મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં અમિત ભટ્ટ (ચંપકચાચા) એક્ટર સચિન શ્રોફના વખાણ કરે છે. મંદાર ચાંદવડકર (મિસ્ટર ભીડે) તથા શ્યામ પાઠક (પત્રકાર પોપટલાલ) બાજુમાં ઊભા છે.
Read About Weather here
શ્યામ પાઠક એમ કહે છે કે, અસિત કુમાર મોદીએ શોમાં નવા પાત્રો લાવવાની વાત કરી હતી અને તેમાંથી એક પાત્ર મિસિસ પોપટલાલ એટલે કે તેની પત્ની પણ જોવા મળશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here