તમામ પોલીસ જવાનોને જૂની જગ્યાએથી તાત્કાલિક છુટા થવાનો આદેશ
4 પીઆઇ, 5 પીએસઆઇ અને 24 પોલીસ કર્મચારીઓની એકાએક આંતરિક બદલીથી અનેક તર્કવિતર્ક
રાજકોટમાં પોલીસની છબી ખરડાઈ ગઈ છે ત્યારે પોલીસ કમિશનર સહિતના અનેક કર્મચારીઓની સામુહિક બદલી થવાની શક્યતા વચ્ચે આજે એકાએક મોરબી જિલ્લા પોલીસવડાએ ગત રાતે પોલીસ સ્ટાફમાં ધરખમ ફેરફારો કર્યા છે. જેમાં 4 પીઆઇ, 5 પીએસઆઇ અને 24 પોલીસ કર્મચારીની બદલીના આદેશો છોડ્યા છે. આ તમામને જૂની જગ્યાએથી તાત્કાલિક છુટા થવાનો હુકમ પણ આપ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
મોરબી જિલ્લા પોલીસ વડાએ 4 પીઆઇની બદલીના આદેશ કર્યા છે. જેમાં એલસીબી પીઆઇ વી.બી. જાડેજાની ટ્રાફિક શાખા, મોરબી તાલુકાના એમ.આર.ગોઢાણીયાની એલસીબી, મોરબી સિટી બી ડિવિઝનના વી.એલ. પટેલની મોરબી તાલુકા અને લિવ રિઝર્વમાં રહેલા પી.એ.દેકાવડિયાની મોરબી સિટી બી ડિવિઝનમાં બદલી કરવામાં આવી છે.આ સાથે 5 પીએસઆઈની બદલી થઈ છે.
જેમાં માળિયાના એન.એચ. ચુડાસમાંની એલસીબી શાખા, વાંકાનેર સિટીના બી.ડી. જાડેજાની માળિયા, માળિયાના વી.બી. રાયમાની મોરબી સિટી બી ડિવિઝન, મદદનીશ પોલીસ અધિક્ષક કચેરીના એન.એ.શુક્લાની વાંકાનેર સીટી, મોરબી સિટી બી ડિવિઝનના એમ.પી. સોનારાની મોરબી સિટી એ ડિવિઝનમાં બદલી કરવામાં આવી છે.બીજી તરફ 24 પોલીસ કર્મચારીઓની પણ બદલી થઈ છે.
જેમાં મોરબી સિટી એ ડિવિઝનમાં ફરજ બજાવતા બળદેવસિંહ જાડેજાની વાંકાનેર સિટી, રણજિતસિંહ રાઠોડને હળવદ, મહેન્દ્રકુમાર ગઢવીની ટ્રાફિક શાખા, આરઝુબેન ઓડેદરાની હેડ ક્વાર્ટર, નારણભાઈ લાવડીયાને વાંકાનેર સિટી, મોરબી સિટી બી ડિવિઝનમાં ફરજ બજાવતા ચમનભાઈ ચાવડાની વાંકાનેર તાલુકા, દેવશીભાઈ મોરીની મોરબી તાલુકા, મોરબી તાલુકામાં ફરજ બજાવતા પ્રદીપસિંહ ઝાલાની વાંકાનેર સિટી, નગીનદાસ નિમાવતની વાંકાનેર સિટી,
વાંકાનેર સિટીમાં ફરજ બજાવતા વિપુલકુમાર ફૂલતરિયાની મોરબી સિટી એ ડિવિઝનમાં, વિજયદાન ગઢવીની મોરબી સિટી એ ડિવિઝનમાં, ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા ધવલ ભાગીયાની ટંકારા, દેવાયતકુમાર રાઠોડની મોરબી સિટી બી ડિવિઝન, પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા રઘુવીરસિંહ મોરીની વાંકાનેર સિટી, બ્રિજરાજસિંહ ઝાલાની વાંકાનેર તાલુકા, રતિલાલ ગરચરની માળિયા, યુવરાજસિંહ જાડેજાની મોરબી તાલુકા,
Read About Weather here
જયવંતસિંહ ગોહિલની એએચટીયુ, ટંકારામાં ફરજ બજાવતા શૈલેષભાઇ હૈણની મોરબી સિટી બી ડિવિઝન, હિતેશ કુમાર ચાવડાની મોરબી સિટી એ ડિવિઝન, જયદેવસિંહ ઝાલાની માળિયા, ક્યુઆરટીમાં રહેલા જયેશ માણસૂરિયાની વાંકાનેર તાલુકા, માળિયામાં ફરજ બજાવતા સંજયભાઈ સામતીયાની હળવદ અને એલસીબીમાં ફરજ બજાવતા સંજયભાઈ મૈયડની ટંકારામાં બદલી કરવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here