રાજકોટ મનપા દ્વારા કોરોના મૃતકોના પ્રમાણપત્ર આપવાની કામગીરી શરૂ

રાજકોટ મનપા દ્વારા કોરોના મૃતકોના પ્રમાણપત્ર આપવાની કામગીરી શરૂ
રાજકોટ મનપા દ્વારા કોરોના મૃતકોના પ્રમાણપત્ર આપવાની કામગીરી શરૂ

પ્રમાણપત્રથી મૃતકના સ્વજનને કોઇપણ પ્રકારે વાંધો કે તકરાર હોય તો સમિતિના અધ્યક્ષને અરજી કરવાની રહેશે: સ્ટે. ચેરમેન

રાજય સરકાર દ્વારા કોરોના મહામારીને કારણે અવસાન પામનાર વ્યક્તિ માટે રૂ.50 હજારની સહાય આપવાનું જાહેર કરવામાં આવેલ છે. આ માટે મૃતકનું મૃત્યુ પ્રમાણપત્ર કાઢી આપવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ તથા આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા જણાવે છે કે, મહાનગરપાલિકા દ્વારા કોવિડ-19ની મહામારીમાં અવસાન પામેલ લોકોને સહાય મેળવવા માટે

મરણના પ્રમાણપત્ર કાઢી આપવામાં આવશે જેના માટે કોવિડ-19ની સહાય મેળવવા માટે અરજી સાથે રજુ કરવાના થતા મૃત્યુનું કારણ (ખઈઈઉ) મેળવવા અરજદારએ જન્મ-મરણ વિભાગમાં પરિશિષ્ટ-1 મુજબનું ફોર્મ ભરવાનું રહેશે.

જે ફોર્મ સાથે અરજદારે મૃતકનું મૃત્યુ પ્રમાણપત્ર જે મહાનગરપાલિકા દ્વારા ઈસ્યુ કરવામાં આવેલ છે તે અને સાથે અરજદાર અને મૃતકનાં ફોટો આઈડી ક્યા ક્યા? જેમકે, આધારકાર્ડ, ચુંટણી કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ વિગેરેમાંથી કોઈપણ રજુ કરવાનું રહે છે.

મૃતકના સ્વજનને મૃત્યુની નોંધણી સમયે ડોકટર તરફથી રજુ કરવામાં આવેલ મરણ અંગેનું પ્રમાણપત્ર નમુનો ફોર્મ નં-4 રજુ કરવાનું રહેશે. હાલની રાજકોટ મહાનગરપાલિકાની કાર્યપધ્ધતિ મુજબ સેન્ટ્રલ ઝોન અને ઈસ્ટ ઝોનનાં પ્રમાણપત્રો જન્મમરણ વિભાગો દ્વારા ઇસ્યુ કરવામાં આવશે.

વિશેષમાં જો કોઈ મૃતકના મૃત્યુ નોંધણી સમયે કોઈ પણ પ્રકારના મૃત્યુ કારણદર્શક ફોર્મ રજુ કરવામાં આવેલ ન હોઈ તેવા કિસ્સામાં સરકારના ઠરાવ મુજબ પરિશિષ્ટ-2 મુજબ અપ્રાપ્ય પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે.

જે પણ ઉપરોકત ઝોન વાઈઝ આપવામાં આવશે. આ પ્રમાણપત્રથી મૃતકના સ્વજનને કોઈપણ પ્રકારે વાંધો કે તકરાર હોય તો મૃતકના સ્વજને સમિતિના અધ્યક્ષને અરજી કરવાની રહેશે.

આ અરજી જન્મમરણ વિભાગમાં જમા કરવાની રહેશે. બાદમાં સમિતિ તે અંગે યોગ્ય પરિસ્થિતી મુજબ પરિશિષ્ટ-6 મુજબ કોરોનાથી મૃત્યુ થયુ કે નહી તે બાબતનું પ્રમાણપત્ર ઇસ્યુ કરશે.

આ સહાયની અંતિમ પ્રક્રિયાના ભાગરૂપે મૃતકનાં વારસદારો કે અરજદાર આધારપુરાવા તરીકે મૃતકનું પ્રમાણપત્ર, જન્મ-મરણ વિભાગ દ્વારા આપેલ ફોર્મ 4/4 એની પ્રમાણિત નકલ, હોસ્પિટલ માંથી મળેલ મૃત્યુના કારણ અંગેનું પ્રમાણપત્ર, ઇન્ડોર કેસ પેપર, ઘરે મૃત્યુ થયું હોય

તેવા કિસ્સામાં દર્દીએ જે તબીબની સારવાર લીધી હોય તેની સારવારની વિગતો, દર્દીના કરવામાં આવેલ જુદા જુદા રિપોર્ટસ વિગેરે પુરાવાઓ રજુ કરવાના રહેશે. જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા નિયમ

Read About Weather here

અનુસાર કોવિડ-19ની સહાય આપવામાં આવશે તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ તથા આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયાએ જણાવેલ છે. (1.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here