વોર્ડનં. 1 માં રૈયાના અનામત પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું
અંદાજીત 2700 ચો.મી.માં 13.5 કરોડની જમીન ખુલ્લી કરાઈ
મ્યુ.કમિશનર અમિત અરોરાનાં આદેશાનુસાર ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજે વોર્ડનં. 1 માં ટાઉન પ્લાનિંગ સ્કીમ- 32 રૈયા (ડ્રાફટ) નાં અનામત પ્લોટમાં ગેરકાયદેસર દબાણ-બાંધકામ દૂર કરવા ડીમોલીશન હાથ ધરવામાં આવેલ. જેમાં 2700 ચો.મી.અંદાજીત જમીન ખુલ્લી કરાવેલ.
Visit Saurashtra Kranti Homepage here
ટી.પી સ્કીમ નં.32 (રૈયા) નાં 63/1 એ માં અંદાજીત 35257 ચો.મી. જમીન છે. આ જમીનમાં કાચી ઓરડીનું બાંધકામ કરી દેવાયું હતું. 1200 ચો.મી.માં ખડકાયેલ ગેરકાયદે દબાણ દૂર કરી અંદાજીત 6 કરોડની જમીન ખુલ્લી કરાઈ હતી.
ટી.પી સ્કીમ નં.32 (રૈયા) નાં 63/2 એ અંદાજીત ચો.મી. 243020 (સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર) માં ફેબ્રીકેશનનું બાંધકામ દૂર કરાયું હતું. 1500 ચો.મી. માં દબાણ દૂર કરી અંદાજીત 7.5 કરોડની કિંમતની જમીન છે.
Read About Weather here
અંદાજીત કુલ 2700 ચો.મી.જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનિંગ શાખા વેસ્ટ ઝોનનાં અધિકારી આસી.ટાઉન પ્લાનર અજય એમ.વેગડ, આર.એન.મકવાણા તથા આસી.એન્જીનિયર એડી. આસી. એન્જીનિયર સર્વયેર, વર્ક આસી.હજાર રહેલ. આ ઉપરાંત એસ્ટેટ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજીલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.(1.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here