સીટી પ્રાંત-2 ચરણસિંહ ગોહિલનો મહત્વનો ચુકાદો

સીટી પ્રાંત-2 ચરણસિંહ ગોહિલનો મહત્વનો ચુકાદો
સીટી પ્રાંત-2 ચરણસિંહ ગોહિલનો મહત્વનો ચુકાદો

માધાપર-સરધારની જમીનમાં અંબાલીકાદેવીની તકરારી નોંધની અરજી માન્ય

માધાપર સર્વે નં.111/3 પૈકી 1ની હે.2328405 ચો.મી. જમીન તો સરધાર સર્વે નં.1ની હેકટર 04047 ચો.મી. જમીનનો મામલો

રાજકોટના ઠાકોર સાહેબ માંઘાતાસિંહ મનોહરસિંહજી જાડેજાના એક તકરારી કેસમાં સીટી પ્રાંત-2 ચરણસિંહ ગોહિલે મહત્વનો ચુકાદો આપ્યો છે. માંઘાતાસિંહજીના બહેન અંબાલિકાદેવી પુષ્પેન્દ્રસિંહની અરજી માન્ય રાખી તેમની તરફેણમાં ચુકાદો જાહેર કર્યો છે.

આ અંગે વિસ્તૃત વિગતો મુજબ માધાપર સર્વે નં.111/3 પૈકી – 1 જમીન હેકટર 2328405 ચો.મી. એટલે કે 575 એકર જમીન અને સરધાર સર્વે નં.1 જમીન હેકટર 04047 – અઢી વિઘા જમીન અંગે જે તે સમયે રાજકોટના રાજવી માંધાતાસિંહજીએ આ જમીનના વારસદારોમાંથી પોતાના બેન અંબાલિકાદેવી પુષ્પેન્દ્રસિંહ (રે.ઝાંસી)નું નામ કમી કરવા મામલતદાર સમક્ષ અરજી દાખલ કરી હતી, આ સામે બેન અંબાલિકાદેવીએ વાંધો લઈ નામ કમી કરવા સામે તકરારી નોંધ દાખલ કરવા અરજી કરી હતી અને તે અરજી ગ્રાહ્ય રાખી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ પછી ઉપરોકત ચર્ચાસ્પદ કેસ સીટી પ્રાંત 2 ચરણસિંહ ગોહીલની કોર્ટમાં આવ્યો હતો, જેની પ્રથમ સુનાવણી 3-6-2021ના રોજ થઈ હતી અને ચુકાદો ગઈકાલે 23-8-2021ના રોજ જાહેર થયો છે, જેમાં સીટી પ્રાંત – 2 અને ડે.કલેકટર ચરણસિંહ ગોહીલે અબજોની આ જમીનમાં અંબાલિકાદેવીની તકરારી નોંધની અરજી માન્ય રાખી તેમની તરફેણમાં ચુકાદો આપ્યો છે. માંધાતાસિંહજીની અંબાલિકાદેવીનું નામ કમી કરવાની અરજી હાલ ફગાવી દેવાઈ છે, આ ચુકાદામાં ચરણસિંહે કલેકટર સમક્ષ અપીલમાં જવુ હોય તો 60 દિવસનો સમય પણ આપ્યો છે.

આ કેસમાં અંબાલિકાદેવી મનોહરસિંહજી જાડેજા વાઈફ ઓફ પુષ્પેન્દ્રસિંહજી જાડેજા અને સામેવાળામાં માંધાતાસિંહજી મનોહરસિંહજી જાડેજા, શાંતિદેવી મનોહરસિંહજી જાડેજા, માનકુમારીદેવી મનોહરસિંહજી જાડેજા, ઉમાકુમારી દેવી મનોહરસિંહજી જાડેજાનો સમાવેશ થાય છે.બે મહિના ચાલેલ આ સુનાવણીમાં બંને પક્ષ તરફથી તેમના એડવોકેટ મારફત ધારદાર દલીલો થઈ હતી, અંબાલિકાદેવી તરફથી એડવોકેટ શ્રી કેતન સિંધવા રોકાયા છે.

સીટી પ્રાંત 2 ચરણસિંહે ચુકાદામાં ટાંકેલ મુદ્દામાં શ્રી મનોહરસિંહજી જાડેજા ડીડ બાબતે ઉમેર્યુ છે કે મિલકતમાંથી જેમનું નામ હક્ક કમી કરવા અરજી થઈ છે તે જ વ્યકિત નિયત સમયમાં વાંધા અરજી કરે તો સિવિલ હક સંઘર્ષમાં આવે છે.

ચરણસિંહ ગોહીલે આપેલા હુકમ મુજબ હક કમી નોંધ નંબર 10145 ના 28-3-2021ના નામંજૂર કરવા હુકમ કરવામાં આવે છે. જમીન પરત્વે અન્ય કોઈ કોર્ટમાં લીટીગેશન ચાલતા હશે તો પક્ષકારોને બંધનકર્તા રહેશે, હુકમથી નારાજ પક્ષકાર હુકમ નાખ્યાના 60 દિવસમાં કલેકટરને અપીલ કરી શકશે.

મીલકત અંગે માંધાતાસિંહ માલિકી હક્ક નક્કી કર્યો ગણાય. માલિકી હક્ક નક્કી કરવાનું કામ મહેસુલ કોર્ટનું નથી ખરેખર સિવિલ કોર્ટ રાહે દાદ મેળવી યોગ્ય ગણાય. વારસાઈ ઓફ નિયમની અમલવારી વિગેરે બાબતે નિર્ણયો કરવાના થાય ત્યારે સિવિલ કોર્ટ યર્થાથતા નક્કી કરશે.

અત્રે એ નોંધનીય છે કે રાજકોટના રાજપરિવારમાં વારસાઈ મિલકતને લઈને રેવન્યૂ કોર્ટમાં તકરારી દાખલ થઈ છે જે ફકત માધાપર અને સરધારની જમીન પૂરતી રહી હતી પણ હવે રાજપરિવાર પાસે જે તમામ સંપત્તિનો વિવાદ ઊભો થયો છે.અંબાલિકા દેવી કે જેમણે માધાપરની 575 એકર જમીન અને સરધારની 2 હેકટર જેટલી જમીનમાં વારસાઈ નોંધ સામે તકરારી કરી છે તેમણે છેતરપિંડીના આક્ષેપ સાથે દીવાની કોર્ટમાં માંધાતાસિંહ તેના માતા અને અન્ય બે બહેનો સહિત ચાર સામે દાવો માંડ્યો છે.જેમાં માંધાતાસિંહના વકીલ કોર્ટમાં હાજર રહેતા જવાબ માટે 40 દિવસ મુદત પડી છે.જ્યારે ડે. કલેકટરને લેખિત જવાબ રજૂ કરવામાં આવ્યા છે.

અંબાલિકા દેવીએ દાવામાં જણાવ્યું છે કે, તેઓ જૂન 2019માં માતાને મળવા માટે રાજકોટ આવ્યા હતા. આ સમયે માંધાતાસિંહે કહ્યું હતું કે, પેલેસ રોડ પર જે આશાપુરા મંદિર છે તે જગ્યા વડીલોપાર્જિત છે અને તેઓ સારસંભાળ કરે છે.

મંદિર સિટી સરવે નં. 1109, વોર્ડ નં. 5માં છે અને 1396 ચોરસ મીટર જગ્યા છે. મંદિરની સારસંભાળમાં ભવિષ્યમાં સહમાલિક તરીકે સહીની જરૂર ન પડે અને કાયદાકીય અડચણ ઊભી ન થાય તેવું સમજાવીને મંદિરની જગ્યા માટે રિલીઝ ડીડ કરાવા કહ્યું હતું આ માટે 1.5 કરોડ રૂપિયા આપ્યા હતા જેમાંથી 10 લાખ આરટીજીસીએ જ્યારે 1.40 કરોડ રૂપિયાનો ડ્રાફ્ટ પેલેસ રોડ સ્થિત આઈસીઆઈસીઆઈ બેંકનો આપ્યો હતો.

Read About Weather here

વડીલોપાર્જિત મિલકતમાં હિસ્સો જાળવી રાખશે અને પાંચમા ભાગે આવતી મિલકતો નામે કરાવી આપશે તેવું વચન આપીને રિલીઝ ડીડ અને બે પાવર ઓફ એટર્ની કરાવી હતી. થોડા સમય બાદ જ્યારે 135 ડીની નોટિસ શરૂ થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે મંદિરની રિલીઝ ડીડના બહાને બધી મિલકતો ગેર રજૂઆતથી લખાવી લીધી છે અને તેથી આ ડીડ પનલ એન્ડ વોઈડથ છે.

તેઓએ એ પણ જણાવ્યું હતું કે, અંધારામાં રાખીને એક ભાઈ-બહેનના સંબંધ ઉપર વિશ્વાસઘાત કરી બહેન પાસેથી ખોટી રીતે સંમતિ મેળવી લીધી છે જે બંધનકર્તા નથી આ દાવામાં માંધાતાસિંહના વકીલ કોર્ટમાં હાજર રહેતા જવાબ માટે 31મી ઓગષ્ટ સુધીની મુદત પડી છે.જ્યારે ડે. કલેકટરને લેખિત જવાબ રજૂ કરવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here