જન્માષ્ટમી ઉત્સવ નિમિતે અનેકવિધ કાર્યક્રમો
રામેશ્વર મહાદેવ મંદિર સમિતિ, જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડનં. 10 જાગૃત નાગરિક મંડળ, મહાદેવધામ મહિલા સત્સંગ મંડળના સંયુક્ત ઉપક્રમે વહેલી પરોઢે શિવજીને 1008 ની કમળ પૂજા, બિલીપત્ર સાથે અષ્ટાધ્યાય રૂદ્રી સામુહિક કરવામાં આવી હતી. શ્રદ્ધાળુઓ ભાવવિભોર બની ગયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
રામેશ્વર મહાદેવ મંદિરના સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસે જણાવ્યું કે, સોમવારે વહેલી પરોઢે શ્રદ્ધાળુઓએ સામુહિક 1008 ની કમળ પૂજા સાથે બીલીપત્ર પૂજન- અર્ચન, અષ્ટાધ્યાય રૂદ્રીનું સામુહિક પઠન કરવામાં આવ્યું હતું.
મંદિરમાં ધ્વજારોહણ, શણગાર કરી આરાધના કરવામાં આવી હતી. આગામી જન્માષ્ટમી મહોત્સવ આખો દિવસ મંદિરમાં પૂજા- વિધિ શણગાર સાથે રાત્રે 12 કલાકે મહાઆરતી, કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે.
Read About Weather here
કમળ પૂજામાં ભારતીબેન રાવલ, સુનિતાબેન વ્યાસ, હંસાબેન ચુડાસમા, શોભનાબેન ભાણવડિયા, જયોતિબેન પુજારા, હર્ષાબેન પંડયા, ભારતીબેન ગંગદેવ, પ્રફુલ્લાબેન બોરીચા, અલ્કાબેન પંડયા, વાસંતીબેન, આશાબેન મજેઠીયા, શોભનાબેન જોટંગીયા, પ્રફુલ્લાબેન દવે, પ્રતિભાબેન પંડિત, દિવ્યાબેન, ભક્તિબેન, યોગિતાબેન જોબનપુત્રા, શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો.(૧.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here