કેન્દ્રનાં ગૃહખાતા દ્વારા આંકડા જાહેર, 18000 સંસ્થાઓએ નાણા અંકે કર્યા
દેશની કુલ 18000 જેટલી એનજીઓ એટલે કે સ્વૈચ્છિક સંસ્થાઓને માત્ર 3 વર્ષની અંદર રૂ.49000 કરોડનું વિદેશી ફંડ મળ્યું હતું. સરકારે રાજ્યસભામાં આંકડા જાહેર કર્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
કેન્દ્રનાં ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે,2017-18 ની સાલમાં એનજીઓને રૂ.16940 કરોડ, 2018-19 માં રૂ.16525 કરોડ અને 2019-20 માં રૂ15853 કરોડ વિદેશમાંથી સહાય રૂપે મળ્યા હતા.
![ભારતની એનજીઓને માત્ર 3 વર્ષમાં જ આટલું બધુ વિદેશી ફંડ..!! એનજીઓ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
Read About Weather here
એમણે માહિતી આપી હતી કે વિદેશી સહાયકોને નવો કાયદો અમલમાં આવ્યા પહેલા બેંકની કોઈપણ શાખામાં વિદેશી ફંડ માટેનાં ખાતા ખોલી શકાતા હતા. પરંતુ નવા કાયદા મુજબ હવે વિદેશી ફંડ માટે સંસ્થાઓએ એસ.બી.આઈ ની નવી દિલ્હી ખાતેની મુખ્ય શાખામાં જ બેંક એકાઉન્ટ ખોલવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું છે. એસ.બી.આઈ એ સરકારને માહિતી આપી હતી કે, 31 જુલાઈ ૨૦૨૧ સુધીમાં આવા 18377 ખાતા ખુલી ગયા છે.(૨.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here