રાજકીય આકાઓ સામે ઘુમયે તાણી લેતું તંત્ર…? : જવાબદાર અધિકારીઓમાં તાકાત હોય તો વૃધ્ધાની જમીન પર ખડકાયેલ ગેરકાયદેસર દબાણ દુર કરી
બતાવે?
સામે ભાવનગર રોડપર આવેલા ઉમરાડી ગામે વિધવા વૃધ્ધાને સાંથણીમાં મળેલી જમીનમાં રાજકીય ઓથ ધરાવતા શખ્સો એ દબાણ કરી લેતા વૃધ્ધાએ વારંવાર તંત્ર વાહકો પાસે ન્યાય માંગવા છતા વૃધ્ધાનો અવાજ તંત્રવાહકોના કાનેન પહોચીયો હોય તેમ વૃધ્ધાને આજ દિન સુધી ન્યાય મળ્યો નથી સરકારી કાગળો પર વર્ષોથી સાથણીમાં મળેલી જમીન રાજકોટના ગાજીવાડામાં રહેતા ડાયાબેન ડાયાભાઈ પરમારની હોવાનું પુરવાર થયું છે.
Subscribe Saurashtra Kranti here
અને આ સાથણીમાં મળેલી જમીનમાં કેટલાક શખ્સોએ દબાણ કર્યું હોવાનું ખુદ સરકારી અધિકારીઓએ પણ કાગળ ઉપર દર્શાવ્યું છે. છતા મોટા ગજ્જાના રાજકીય લોકોના દબાણમાં આવી તંત્ર વાહકો આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
વૃધ્ધાએ અનેક વાર લેખિતમાં કલેકટર તંત્ર, પોલીસ કમિશનર ને રજૂઆત કરી હોવા છતા આજદિન સુધી વૃધ્ધાને ન્યાય મળિયો નથી અને તેની સંથણીમાં મળેલી જમીનમાંથી દબાણ હટ્યું નથી જેથી સ્પષ્ટ થાય છે. કે રાજકીય આકાઓ સામે તંત્ર ઘુમટો તાણીને બેઠું હોય તેવું લાગી રહ્યું છે.
Read About Weather here
પ્રકરણ બહાર આવતા લોકો એવો પોકાર કરી રહ્યો છે. કે જવાબદાર અધિકારીઓમાં તાકાત હોયતો આ વૃધ્ધાની જમીનમાં થયેલ ગેર કાયદે દબાણ દુર કરી વૃધ્ધાને ન્યાય અપાવી દાખલો બેસાડે તેવી પ્રક્રિયા કરેતો લોકોનો ન્યાય મંદિર પર રહ્યો વિસ્વાસ કાયમ ટકી શકે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here