પંજાબમાં આવતા વર્ષે થનાર વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી(આપ)ના સંયોજક અરવિંદ કેજરીવાલે સોમવારે જાહેરાત કરી કે જો પંજાબમાં તેમનો પક્ષ ચૂંટણી જીતશે તો રાજ્યમાં મફત વીજળી આપવામાં આવશે. પોતાના ચંદીગઢ પ્રવાસના એક દિવસ પહેલા આપ નેતાએ એવો પણ દાવો કર્યો કે પંજાબમાં મહિલાઓ મોંઘવારીથી બહુ જ નારાજ છે.