ગૌશાળામાંથી ગાય છોડવા પ્રશ્ને બે યુવાન પર હુમલો

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

જેતપુરનાં મોટા ગુંદાળા ગામે બનેલો બનાવ: ગામમાં રખડતા રેઢીયાળ ઢોરનો દંડ કરવા પ્રશ્ને કમિટીના શખ્સોને પાંચ શખ્સોએ ધોકાવ્યા

જેતપુરનાં મોટા ગુંદાળા ગામે આવેલી કામધેનું ગૌશાળા માંથી ગાયને છોડાવવા પ્રશ્ને ગામનાં પાંચ ભરવાડ શખ્સોએ ગૌશાળાની કમિટીના બે શખ્સો ઉપર લાકડી વડે હુમલો કરી મારમારી ઈજા કરતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ જેતપુરનાં મોટા ગુંદાળા ગામે રહેતા વ્રજેશભાઈ વલ્લભભાઈ ખોખર (ઉ.વ.૪૦) નામના પટેલ યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ મોટા ગુંદાળા ગમે આવેલ કામધેનું ગૌશાળામાં કમિટીના સભ્ય હોય ગામમાં રેઢીયાળ મળી આવેલ ઢોરને પકડ્યા હોય તેને ગૌશાળામાં રાખી તેના માલિક મળી આવેતો તે ઢોરને છોડવા કમિટી દ્વારા નક્કી કરવામાં આવેલો દંડ વસુલ કરી ઢોર છોડવામાં આવતા હોય. ગઈકાલે મોટા ગુંદાળા ગામે રહેતા ભૂરા જગા ભરવાડની ગાય રેઢીયાળ મળી આવેલ હોય તેને ગૌશાળામાં રાખેલ હોય આ ગાય છોડવા બાબતે ભૂપત ઉર્ફે ભોપો બીજું મેવાડા, લાખા ભીખા, મુકેશ ભીખા શૈલેષ લાખા, ભૂરા જગ્ગા સહિતનાં પાંચ શખ્સો ગૌશાળાએ આવી હાથમાં પહેરવા કડાવતી મારમારી વ્રજેશભાઈ તથા ભગવાનજી ભાઈને ઈજા કરી નાસી ગયા હતા.

Read About Weather here

બનાવ બાદ યુવાને જેતપુર તાલુકા પોલીસમાં પાંચ ભરવાડ શખ્સોવિરુધ્ધફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here