ભોપાલની હમીદિયા સરકારી હોસ્પિટલમાંથી રેમડેસિવિર ઈન્જેક્શન ચોરાઇ ગયા હોવાનો ખુલાસો થયો
દેશમાં કોરોનાની સારવાર માટે રામબાણ ગણાતા રેમડેસિવિર ઈન્જેક્શનની ભારે અછત સર્જાઇ રહી છે. લોકોને એક ઈન્જેક્શન મેળવવા માટે પૈસા આપીને પણ આજીજીઓ કરવી પડી રહી છે. તેવા સમયે ભોપાલની હમીદિયા સરકારી હોસ્પિટલમાંથી ૮૦૦ રેમડેસિવિર ઈન્જેક્શન ચોરાઇ ગયા હોવાનો ખુલાસો થયો છે.
Subscribe Saurashtra Kranti here
હવે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. જાણકારી પ્રમાણે આ ઈન્જેક્શનનો સ્ટોક તાજેતરમાં જ હોસ્પિટલમાં આવ્યો હતો. આ ચોરીમાં હોસ્પિટલના કર્મચારીઓની સંડોવણી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ દરમિયાન રાજ્ય સરકારે કહૃાુ છે કે, મધ્યપ્રદેશમાં સરકારી હોસ્પિટલોમાં અને ખાનગી હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારીને ૪૦૦૦૦ કરવામાંઆવી છે.
Read About Weather here
જ્યારે કોંગ્રેસે સરકાર પર નિશાન સાધતા કહૃાુ છે કે, મધ્યપ્રદેશમાં દર્દીઓ વધી રહૃાા છે પણ હોસ્પિટલો પાસે બેડ, ઓક્સિજન અને ઈન્જેક્શન નથી. સરકાર યુદ્ધના ધોરણે કાર્યવાહી કરશે નહીં તો આવનારા દિવસો ભયાનક બની જશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here