દેશમાં કોરોનાવાયરસનાં આંકડા ફરી એકવાર ભયજનક નોંધાયા છે
દેશમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા ઝડપી ગતિએ વધી રહી છે. દેશમાં હવે દરરોજ અઢી લાખથી વધુ કેસ નોંધાઇ રહૃાા છે. આ ઉપરાંત મૃતકોની સંખ્યા પણ દરરોજ એક હજારને પાર કરી રહી છે. આવી સ્થિતિમાં, હોસ્પિટલોમાં પથારી, દવાઓ અને ઓક્સિજનની પણ તંગી છે. જેના પર કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
Subscribe Saurashtra Kranti here
ચિદમ્બરમે ટવીટ કરીને લખ્યું છે કે, દેશની મોટાભાગની હોસ્પિટલોનાં ગેટ પર ‘વેકસીન ઉપલબ્ધ નથી નું બોર્ડ લગાવવામાં આવ્યું છે, પરંતુ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન એવો દાવો કરી રહૃાા છે કે રસીઓનાં સપ્લાયમાં કોઈ કમી નથી. મંત્રીનાં જણાવ્યા મુજબ રસી, ઓક્સિજન, રેમડેસિવિર, બેડ્સ, ડોકટરો અને નર્સની કોઈ અછત નથી, ફક્ત હોસ્પિટલમાં આવતા દર્દીઓમાં ઘટાડો છે. તેમણે વધુમાં કહૃાું કે, પશ્ર્ચિમ બંગાળમાં સત્તા મેળવવા માટે ચાલી રહેલી લડતમાંથી થોડો સમય કાઠવા બદલ પીએમ મોદીનો આભાર.
ચિદમ્બરમે પોતાના ટ્વિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પણ કોવિડથી બચાવવાની વ્યૂહરચનાથી વધારે ચૂંટણી કાર્યક્રમની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કટાક્ષ કર્યો કે, વડાપ્રધાન મોદીજી આભાર કે તેમણે પશ્ર્ચિમ બંગાળને જીતવા માટે જરૂરી યુદ્ધની વચ્ચે કોવિડ-૧૯ સમસ્યા માટે થોડો સમય કાઠ્યો. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી પણ સરકાર પર સતત હુમલો કરી રહૃાા છે.
તાજેતરમાં જ રાહુલે એક ટ્વિટમાં લખ્યું છે કે, કોઈ ટેસ્ટ નથી, હોસ્પિટલમાં પલંગ નથી, કોઈ વેન્ટિલેટર નથી, ઓક્સિજન નથી, રસી નથી, માત્ર ઉત્સવનો ઢોંગ છે. બીજા ટ્વીટમાં તેમણે લખ્યું કે, કેન્દ્ર સરકારની કોવિડ વ્યૂહરચના- સ્ટેજ ૧-તુગલકી લોકડાઉન. સ્ટેજ ૨-ઘંટડી વગાડો. સ્ટેજ-૩ ભગવાનનાં ગુણ ગાઓ.
Read About Weather here
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાવાયરસનાં આંકડા ફરી એકવાર ભયજનક નોંધાયા છે. સતત વધી રહેલા કેસો સામે સરકાર પણ લાચાર હોય તેવું નજરે પડી રહૃાું છે. હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે દર્દીઓને નવા બેડ મેળવવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. તે જોતા દેશમાંથી કોરોના કાબુ બહાર હોય તેમ લાગી રહૃાું છે અને સ્થિતિ ભયાવહ બની છે. દેશમાં કોરોનાનાં કેસો કૂદકે ને ભૂસકે વધતા જાય છે, તેમજ દિન પ્રતિદિન નવો રેકોર્ડ સર્જતા જાય છે. તેની વચ્ચે સૌપ્રથમ વખત ઠીક થયેલા દર્દીઓનો આંકડો વધારે નોંધવામાં આવ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨.૫૫ લાખ થી વધુ નવા કેસો નોંધાયા છે. જ્યારે પ્રથમ વખત સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૧.૩૦ લાખથી વધુ થવા જાય છે. જેથી કુલ કેસો હવે ૧.૪૬ કરોડને પાર થયા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here