હવે ધૈર્યરાજની સારવાર શક્ય બનશે…

ધૈર્યરાજ
ધૈર્યરાજ

લોકોના સહકાર અને દરીયાદિલીથી ધૈર્યરાજની સારવાર માટેના રૂ. 16 કરોડનું દાન એકઠું થઇ ગયું

લોકોએ 42 દિવસમાં રોકડા રૂ2 કરોડ 17 લાખનું ધૈર્યરાજ માટે દાન આપ્યું

Subscribe Saurashtra Kranti here

અત્યંત રેર બીમારી (SMA)થી પીડાત ધૈર્યરાજસિંહની સારવાર માટે વિદેશથી દવા મગવવી જરૂરી હતી. મધ્યમવર્ગના પરિવાર માટે દવાના 16 કરોડ રુપિયા ભેગા કરવા સપના સમાન હતું.પણ એક મદદની હાકલને લોકોએ મન મૂકીને ધૈર્યરાજને દવા માટે મદદ કરવાનું શરૂ કરી દીધું હતું. આજે તેને 16 કરોડ રૂપિયાની મદદ પુરી થઈ ગઈ છે. જેમાં 2 કરોડથી વધુ રોકડ પણ મદદ આવી છે.

ધૈર્યરાજસિંહના પિતાએ જણાવ્યું હતું કે, મને લોકો અને મિત્રો પાસેથી ખૂબ મદદ મળી છે. આજે મારા દીકરાની સારવાર માટેના 16 કરોડ ભેગા થઈ ગયા છે. જેથી હવે ટેક્નિકલ પ્રક્રિયા પૂર્ણ કરીને હવે દવા મગવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એક વખત દવા માટે ઓર્ડર અપાઈ જાય ત્યાર બાદ 15 દિવસમાં દવા આવી જાય છે. ત્યારબાદ હવે મારા દીકરાની સારવાર શરૂ થઈ જશે.

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનેસર ગામમાં મધ્યમવર્ગીય રાજદીપસિંહ સુરેન્દ્રસિંહને ત્યાં બાળકનો જન્મ થતાં માતા-પિતા તેમજ પરિવારજનોમાં આનંદ પ્રસર્યો હતો. પરંતુ માતા-પિતાને ક્યાં ખબર હતી કે, બાળક એક ગંભીર બીમારી સાથે જન્મ્યું છે.

કુદરતની મરજી આગળ માણસ લાચાર છે એવું કહેવાય છે. પરિવારજનો બાળકને હોસ્પિટલમાં લઇ જતા ચકાસણી દરમિયાન નિષ્ણાંત ર્ડોક્ટરે જણાવ્યું હતું કે, ધૈર્યરાજે જન્મજાત ગંભીર બીમારી સાથે જન્મ લીધો છે. જેને એસએમએ-1(Spinal Muscular Atrophy Fact Sheet)તરીકે ઓળખવામાં આવે છે. જેને ગુજરાતીમાં કરોડરજ્જુની સ્નાયુબદ્ધ એટ્રોફી ફેક્ટશિટ કહેવામાં આવે છે.

આ બીમારી રંગસૂત્ર-5ની નાળીમાં ખામીને કારણે થાય છે. આ જનીન સર્વાંઈકલમાં પ્રોટીન ઉત્પન્ન કરે છે. જે માણસની બોડીમાં ન્યુરોન્સનું પ્રમાણ જાળવી રાખે છે, જ્યારે આવા બાળકોમાં આ સ્તર યોગ્ય રીતે જળવાતું નથી. જેના લીધે ન્યુરોન્સનું સ્તર અપૂરતું હોવાના લીધે કરોડરજ્જુમાં નબળાઈ અને બગાડ પેદા થાય છે. તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. જે નુકસાન તરફ દોરી જાય છે.

જે માતા-પિતાના વારસામાં આવેલો રોગ છે જે જનીનો ખામી દર્શાવે છે, ત્યારે આ રોગની સારવાર ખુબ મોઘી છે, તેના માટેના ઈજેક્શન રૂપિયા 16 કરોડમાં યુ.એસ.થી માંગવું પડે છે. જેની માન્યતા ડિસેમ્બર-2016માં યુ.એસ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન(સ્પિનરાઝા)ને મળેલું છે. જે કરોડરજ્જુની આજુબાજુ પ્રવાહીમાં ઇન્જેક્શન દ્વારા સંચાલિત થાય છે. જે પ્રોટીનનું ઉત્પાદન વધારવા માટે કરવામાં આવે છે. જેના લીધે માંસ પેસીઓની હિલચાલ અને કાર્ય કરવાની શક્તિમાં પણ સુધારો કરે છે.

ડોક્ટરોના કહેવા પ્રમાણે બાળકના ઈલાજ માટે 1 વર્ષનો સમય છે છે. જેના માટે બાળકના પિતાએ 16 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ભેગી કરવાનો સમય આવ્યો છે, ત્યારે તેઓ ચિંતા કર્યાં વગર ધૈર્યરાજનું નામ ઈમ્પેક્ટ ગુરુ નામના એન.જી.ઓ માં પોતાનું ખાતું ખોલાવી તે ખાતામાં ડોનેશન ભેગું કરવાની નેમ ઉઠાવી છે, ત્યારે તેઓએ આ રકમ ભેગી કરવા સોશિયલ મીડિયાના માધ્યમથી મહીસાગર જિલ્લા અને ગુજરાત રાજ્યના તમામ ભામાશા પાસે પ્રાર્થના કરી છે.

Read About Weather here

ગુજરાતની તમામ જનતા પાસે ફુલ નહી તો ફુલની પાંખડી આપવા માટે અઆજીજી કરી હતી, ત્યારે મહીસાગર જિલ્લામાંથી કેટલીય સંસ્થાઓ તેની મદદ માટે ડોનેશન આપવા લાગી હતી, પરંતુ, 16 કરોડ રૂપિયા રકમ ખુબ મોટી હોવાથી વધુને વધુ મદદ મળી રહે તેવી રાજદીપસિંહ આશા સેવી રહ્યા હતા. અને આહવાન કરી રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here