આ તસવીરો કાળમીંડ પથ્થરોની નહીં પણ ભઠ્ઠીમાંથી નિકળેલ જોખમકારક કચરો છે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ગેરકાયદેસર અને સુચીત વિસ્તારોમાં તેમજ કોમન પ્લોટમાં કરેલ બાંધકાનો સર્વ કરીને તેને પાડવા માટે ઝુંબેશ ચાલી રહી છે ત્યારે એક કહી શકાય કે કદાચ મનપા તંત્રને આજીડેમ વિસ્તારમાં આવેલ માંડા ડુંગર અને રાંદરડા તળાવ નજીક થયેલ ગેરકાયદે બાંધકામ નજરે પડ્યા નથી રાંદરડા તળાવની જમીનો પણ કારખાનાઓ દ્વારા કબ્જે કરીને ગેરકાયદેસર કારખાનાઓ ઉભા કરીને ભઠ્ઠીઓ ધમધમતી કરી દીધી છે કે જાણે તેને કોઇ નિયમ જ લાગુ પડતો ન હોય તે પરશુરામ ઇન્સ્ટ્રીઝમાં અનેક કારખાનોઓ ધમધમી રહ્યા છે જેના કારણે તે રહેણાંક વિસ્તારમાં પ્રદુષણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયુું છે કારખાના ધારકો કારખાનામાં ગેરકાયદે ભઠ્ઠીઓ ચલાવે છે

Visit Saurashtra Kranti Homepage here

તેનો કચરો છેક ભાવનગર રોડ આરકે યુનિવર્સિટીના ગેટ સુધી પાથરી દેવામાં આવે છે ભઠ્ઠીમાંથી કેમિકલનો ઝેરી અને નુકશાન કારક કચરો ખુલ્લે આમ દેનાર સામે તંત્ર ક્યારે કાર્યવાહી કરશે તે જોવનું રહ્યું અને કારખાનોને તાત્કાલીક બંધ કરવા તેના વિરૂધ્ધ યોગ્ય પગલા લેવા જોઇએ તો સ્થાનિક રહીશોમાં શુર ઉઠ્યો છે. અને પોલ્યુશન બોર્ડના અધિકારીઓએ આ ધમધકતી ભઠ્ઠીઓ પાસેથી વહીવટ કર્યાની ચર્ચાઓ પણ વહેતી થઇ છે.રાજકોટ શહેરના અનેક વિસ્તારો એવા છે જ્યાં નિયમોને મુકીને બેફામ રીતે કાળો કારોબાર ચાલી રહ્યો છે. તેનો તાજેતરનો નમુનો છે. આજીડેમ ચોકડી અને ભાવનગર રોડ વિસ્તારમાં સર્વ નંબર 157માં પરશુરામ ઇન્સ્ટ્રીઝ આ જમીન સુચીત હોવા છતાં પણ અહીં અનેક કારખાનોઓ ચાલી રહ્યા છે. કારખાનો મોટે ભાગે જીઆઇડીસીઓમાં આવેલા હોય છે પરંતુ અહીંયા તો જીઆઇડીસી નથી અને જમીન છે ઉપરાંત રહેણાંક વિસ્તારમાં કારખાનાઓ ચાલુ છે. જે એકપણ નિયમમાં બંધ બેસતુ જ નથી કારખાનેદારોએ કોઇ જાદુની છડી લઇને જાણે મંજુરી લઇ લીધી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઉપરાંત અનેક કારખાનાઓમાં લોખંડની ભઠ્ઠીઓ ચ લાવવામાં આવે છે. લોખંડ ઓગાળવામાં આવે છે.

Read About Weather here

આ પ્રક્રિયાઓમાં અનેક ગણુ પ્રદુષણ ફેલાતું કારણે તેને શહેરની બહાર કોઇ જીઆઇડીસીમાં આવા કારખાનાઓ રાખવામાં આવતા હોય છે પરંતુ આજીડેમ ચોકડી અને ભાવનગર રોડ વિસ્તારમાં આવા અનેક કારખાનો ધમધમી રહ્યા છે. તેને કોઇ રોકવાવાળું પણ નથી. ઉપરાંત તમામ કારખાના ધારકો લોખંડ ઓગાળ્યા બાદ વધતો કચરો જે ખૂબ જ હાનીકારક હોય છે તેનો પણ ખુલ્લે આમ કરી દેવામાં આવે છે યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી. આ બેફામ રીતે અને કાયદાના ડર વિના ચાલતા કારખાનોઓને શું કોઇ રોકવાવાળું છે જ નહીં કે શું??? આ કારખાનાઓમા ચાલતી ભઠ્ઠીઓ ખૂબ જ જોખમ કારક હોય છે છતાં આવા જોખમ કરાક કામગીરીમાં બાળ મજુરો દ્વારા કામગીરી કરવામાં આવે છે જે ગુનાહીત પ્રવતિ ગણી શકાય.આગામી દિવસોમાં તંત્ર દ્વારા કંઇ કામગીરી કરાશે કે પછી કારખાનેદારોને છાવરવામાં જ આવશે તે નક્કી કરવુ મુશ્કેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here