આટકોટમાં દાનવીર રૂડાભગતની ચાવીરૂપ ભૂમિકા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
જસદણના આટકોટમાં તાજેતરમાં પટેલ સેવા સમાજ સંચાલિત માતૃશ્રી કાશીબા દામજીભાઈ પરવાડીયા હોસ્પિટલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકાર્પણ કરેલ. જેમાં મેનેજિંગ ટ્રસ્ટી ડો.ભરતભાઈ બોઘરા નંબર વન સાબિત થયા પણ ગુજરાતની અનેક સંસ્થાઓમાં પોતાનું અમૂલ્ય પ્રદાન આપનારા જસદણના પાટીદાર જાણીતાં દાનવીર રૂડાભાઈ ભગતની સેવા પણ મહત્વની રહી હતી.

Visit Saurashtra Kranti Homepage here

યુવા સામાજિક કાર્યકર હરિભાઈ વેલજીભાઈ હીરપરાએ જણાવ્યું હતું કે, આટકોટમાં પટેલ સેવા સમાજ સંચાલિત હોસ્પિટલનું લોકાર્પણ વડાપ્રધાને કર્યું. જેમાં ડો. ભરતભાઈની વર્ષોની અથાક મહેનત રંગ લાવી પણ રૂડાભાઈ ભગતની ભૂમિકા પણ ચાવીરૂપ રહેતા સોનામાં સુગંધ ભળી ગઈ હોય એવો ઘાટ સર્જાયો હતો.આ હોસ્પિટલમાં દાનથી માંડી ભગતએ લોકાર્પણ થયાં પૂર્વે રાત દિવસના ઉજાગરા વેઠી મજુર જેવું કાર્ય કરી દર્દીઓની દુઆ પ્રાર્થના મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.

Read About Weather here

આમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે છેલ્લા 25 વર્ષથી અંગત સંબંધ છે ભૂતકાળમાં જસદણ વિંછીયા પંથકમાં જયારે કોંગ્રેસપક્ષની બોલબાલા હતી ત્યારથી રૂડાભાઈ ભગતને નરેન્દ્રભાઈ સાથે એક સારો સંપર્ક બની રહ્યો છે. ગત શનિવારે વડાપ્રધાન આટકોટ આવેલા ત્યારે નરેન્દ્રભાઈ સાથે રૂડાભાઈની યાદો જીવંત બની હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here