રાજકોટમાં આવતાં મહિને 7 જાન્યુઆરીએ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ઉપર ભારત-શ્રીલંકા વચ્ચે ટી-20 મુકાબલાની જમાવટ થનાર હોવાનું જાણવા મળ્યું છે. આવતાં મહિને રમાનારી આ શ્રેણી માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા વેન્યુ (ગ્રાઉન્ડ)ની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં રાજકોટનું ગ્રાઉન્ડ પસંદગી પામ્યું છે. આ માટે એસોસિએશન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે શ્રીલંકાની ટીમ આવતાં મહિને ભારતના પ્રવાસે શ્રેણી રમવા માટે આવી રહી છે જેમાં ટી-20 સહિતની મેચો સામેલ છે. આ શ્રેણીની એક મેચ રાજકોટના સ્ટેડિયમ ઉપર રમાશે.
Read About Weather here
શ્રીલંકાની ટીમ આમ તો રાજકોટમાં મેચ રમી ચૂકી છે પરંતુ તે તમામ મુકાબલા રેસકોર્સના ગ્રાઉન્ડ ઉપર રમાયા હતા. જ્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસાસિએશન સ્ટેડિયમ નિર્માણ પામ્યા બાદ પહેલીવાર નવા ગ્રાઉન્ડ ઉપર ભારત સામે ટક્કર લેશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here