ખાતેદારોને ખાતા ખોલવા નનૈયો ભણી દીધો: ગજુભા
શહેર કોંગ્રેસ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા (લોક સંસદ વિચાર મંચ), જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના ડી-કોડિનેટર હિંમતભાઈ લાબડીયા (એડવોકેટ) ની એક સંયુક્ત યાદીમાં જણાવ્યું છે કે, શહેરમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં રોકાણકારો, ખાતેદારો, પેન્શનરો, મહિલાઓને બેંકના અધિકારીઓ દ્વારા વ્યાપક કનડગતને પગલે બેંક કર્મીઓની દાદાગીરી જોહુકમીનો રોજ બરોજ ગ્રાહકો ભોગ બની રહ્યા છે.
Read Local News / Articles : Saurashtra , Gujarat
શહેરની લક્ષ્મીવાડી રોડ પરની ગુંદાવાડી શાખામાં ખાતેદારોને ખાતા ખોલાવા નનૈયો ભણી દીધો હતો અને નવા ખાતા નહીં ખોલવા, સ્ટાફ નથી આવા ઉડાઉ જવાબ સામે લેખિત ફરિયાદ બ્રાંચ મેનેજર અને આસિસ્ટન્ટ જનરલ મેનેજરને પણ કરવા માં આવી હતી.
Read About Weather here
જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી રાજકોટ દ્વારા બ્રાન્ચ મેનેજરને નિયમોનુસાર બેંકમાં લાગેલા બેનર અંગે કાર્યવાહી કરવા આદેશ કરતા બેનર હટાવવાની ફરજ પડી હતી. લક્ષ્મીવાડી રોડ પરની ગુંદાવાડી શાખાને 20-20 લાખનો દંડ કરવા બેન્કિંગ લોકપાલ રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં ગ્રાહક સુરક્ષા મંડળના ગજેન્દ્રસિંહ અને હિંમતભાઈએ લેખિત ફરિયાદ કરી છે.(1.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here