એબીવીપી દ્વારા કુલપપિને કરાઇ હતી રજૂઆત: 48 કલાકમાં યુનિવર્સિટીમાં કાયમી પ્રોફેસરોની ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવા લેખિત બાંહેધરી આપી હતી
યુનિવર્સિટીમાં છેલ્લા પાંચ-પાંચ વર્ષથી કાયમી પ્રોફેસરોની ભરતી કરી નથી, કાયમી પ્રોફેસરો વિના વિદ્યાર્થીઓને કોણ ભણાવશે, કેવું ભણાવશે, વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું તેની રતિભાર પણ ચિંતા પાંચ વર્ષ દૃરમિયાન કુલપતિએ કરી નથી અને બુધવારે વિદ્યાર્થી સંગઠન એબીવીપીએ કુલપતિની ચેમ્બરમાં અઢી કલાક સુધી ધમાલ મચાવી, રામધૂન બોલાવી, સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ પ્રદૃર્શન કરતા સત્તાધીશો દૃબાણમાં આવતા તાબડતોબ ફાઈલો મગાવી 48 કલાકમાં યુનિવર્સિટીમાં કાયમી પ્રોફેસરોની ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવા લેખિત બાંહેધરી આપવી પડી હતી.
Visit Saurashtra Kranti Homepage here
એકબાજુ પાંચ-પાંચ વર્ષથી ભરતી ન કરી, બીજી બાજુ દૃબાણ આવતા માત્ર 10 જ મિનિટમાં નિર્ણય લીધો કે 48 કલાકમાં જાહેરાત પ્રસિદ્ધ કરવી. કુલપતિ અને રજિસ્ટ્રાર એક તબક્કે કાયમી ભરતી માટેની લેખિત બાંહેધરી આપવા ઇનકાર કરી દૃીધો હતો, પરંતુ ઉપકુલપતિએ પોતાના જોખમે, પોતાની જવાબદૃારીએ 48 કલાકમાં ભરતીની જાહેરાત કરવા લેખિતમાં બાંહેધરી આપી હતી. કોલેજોના પ્રથમ સેમેસ્ટરના અનેક વિદ્યાર્થીઓ પાસેથી 1-1 હજાર રૂપિયા લઇ લીધા પરંતુ દૃોઢેક વર્ષથી ટેબ્લેટ નહીં અપાતા વિદ્યાર્થી રોષે ભરાયા હતા અને તાત્કાલિક ધોરણે ટેબ્લેટ આપવા અથવા પૈસા પરત આપવા માંગણી કરી કરી હતી.
આ અંગે ઉપકુલપતિએ જણાવ્યું હતું કે, ડિસેમ્બર અંતમાં અથવા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં બાકી વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપી દૃેવાશે. વિદ્યાર્થી સંગઠનની ઉગ્ર રજૂઆત બાદૃ કાયમી ભરતી અંગે જ્યારે રજિસ્ટ્રારને પ્રક્રિયા કરવાનું કહેવામાં આવ્યું ત્યારે એકસાથે બે-બે હોદ્દાનો ચાર્જ સાંભળી રહેલા ઇન્ચાર્જ રજિસ્ટ્રાર નિલેશ સોનીએ કહૃાું હતું કે, મારું રાજીનામું લેવું હોય તો લઇ લો, અત્યારે જ આપી દૃઉં પરંતુ હું કાયમી ભરતી મુદ્દે લેખિત બાંહેધરીમાં સહી નહીં કરું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લે વર્ષ 2016માં ડૉ. પ્રતાપસિંહ ચૌહાણના કાર્યકાળ દૃરમિયાન 32 પ્રોફેસરની ભરતી થઇ હતી.
ત્યારબાદૃ વર્ષ 2019માં ફરી 58 પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસરોની ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી પરંતુ આ ભરતીમાં 33% મહિલા અનામત અને ઇડબ્લ્યુએસની જગ્યા મુદ્દે વિવાદૃ થતા યુનિવર્સિટીના જ કેટલાક પ્રોફેસરોએ કોર્ટમાં દૃાવો કર્યો હતો. ત્યારપછી આ ભરતી પ્રક્રિયા ટલ્લે ચડી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષે 13 લાખ રૂપિયા માત્ર સફાઈ પાછળ ખર્ચવામાં આવતા હોવા છતાં બોયઝ હોસ્ટેલ ગિરનારની જંગલ જેવી હાલત થઇ જતા સફાઈ અને પાણીની પ્રાથમિક સુવિધાના અભાવે વિદ્યાર્થીઓ ત્રસ્ત થયા છે.
Read About Weather here
વિદ્યાર્થીઓએ અગાઉ અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવતા બુધવારે વિદ્યાર્થી સંગઠને ઉગ્ર રજૂઆત કરતા તાત્કાલિક માણસો બોલાવીને હોસ્ટેલની સફાઈનું કામ શરૂ કરાવ્યું હતું.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખૂણે ખૂણે રાજકારણ પ્રવેશી ગયું હોય એમ સત્તાધીશો વિદ્યાર્થીઓના હિતને બદૃલે પોતાની મનસુફીથી વહીવટ ચલાવી રહૃાા હોવાની સ્થિતિ સર્જાઈ છે અને જ્યાં સુધી સત્તાધીશો ઉપર પ્રેશર ન આવે ત્યાં સુધી યોગ્ય કાર્યવાહી પણ કરતા નથી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here