વાર્ષિક સામાન્ય સભા સાથે વૈદ્યરાજ ડો.જયેશ પરમારનું સન્માન કરાશે
આયુર્વેદ એસોસિએશન (સૌરાષ્ટ્ર-કચ્છ) દ્વારા સભ્યો તથા નોંધાયેલી દવા કંપનીઓ તથા આમંત્રિતો માટે તા.9 જાન્યુઆરીના રવિવારે રાજકોટ ખાતે અતિથિ દેવો ભવ, 150 ફુટ રીંગ રોડ ખાતે એન્યુઅલ જનરલ મીટીંગ તથા વૈધરાજ ડો.જયેશભાઈ પરમારનું સન્માન સહિતના કાર્યક્રમોનું આયોજન ઝંડુ ફાર્માસ્યુટીકલના સહયોગથી કરાયું છે.
Read Saurashtra Kranti E-Paper here
આ કાર્યક્રમ એસોસિએશનના સભ્યો તથા નોંધાયેલી દવા કંપનીઓ તથા આમંત્રિતોને સમયસર ઉપસ્થિત રહેવા એસોસિએશન દ્વારા વિનંતી કરાય છે. હાલના સંજોગોને લક્ષમાં લઈ માત્ર આમંત્રિતો, સભ્યો અને દવા કંપનીઓને માટે આ કાર્યક્રમનું આયોજન થયું છે.
Read About Weather here
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ અકબર પટેલ, ભાવિકભાઈ રાવલ, અલ્કેશ કામદાર, ગૌરવ દવેના માર્ગદર્શન હેઠળ કમિટી મેમ્બરો અશ્ર્વિન એચ . કારીયા, મનીષ સી.રૂપારેલીયા, સચિન જે.વ્યાસ, હેમલ ડી. સંપટ, દેવાંગ એલ. રાવલ, વિશાલ એન. પાબારી, પરેશ આર. તન્ના તેમજ ઝંડુ ફાર્માસ્યુટીકલ વિગેરે જહેમત ઉઠાવી રહયા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here