નાયબ કમિશનરની સુચનાથી તાત્કાલીક અસર
મનપાની ફૂડ શાખા દ્વારા દુધ (લુઝ)નાં પાંચ નમુના લેવાયા
મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા જાહેર આરોગ્ય હિતાર્થે સંતકબીર રોડ પર ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ 20 ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ.
Visit Saurashtra Kranti Homepage here
ચકાસણી દરમ્યાન બેવરેજીસ- 646 લી (અમુલ કુલ ફ્લેવર્ડ મીલ્ક 180 મિલી. – 2400 બોટલ, સ્પ્રાઇટ – 2.5 મિલી. પેક્ડ-18 બોટલ, ફેન્ટા 1.25 મિલી. – 12 બોટલ, ફેન્ટા 750 મિલી – 45 બોટલ, લીમ્કા 750 મિલી – 26 બોટલ),
પ્રિપેર્ડ ફુડ 6 કિ.ગ્રા. જેટલો જ્થ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ અને 4 પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપેલ. તેમજ માન નાયબ કમિશનરની સુચનાથી તાત્કાલિક અસરથી સંતકબીર રોડ પર આવેલ શંકર વિજય એન્ટરપ્રાઇઝ પેઢીને સીલ કરવામાં આવેલ.
મચ્છુ ડેરી, દૂધેશ્વર મહાદેવ મંદિર સામે, સંતકબીર રોડ થી મિક્સ દૂધ (લૂઝ), (ર) રાધેશ્યામ ડેરી ફાર્મ, શોપ નં 25,26, ગ્રાઉન્ડ ફ્લોર, સંતકબીર રોડથી મિક્સ દૂધ (લૂઝ), (3) શ્રી મહાલક્ષ્મી ડેરી ફાર્મ, મેહુલનગર મે. રોડ, સંતકબીર રોડથી મિક્સ દૂધ (લૂઝ),
Read About Weather here
(4) ગોપાલ ડેરી ફાર્મ, શોપ નં. 1, માધવપાર્ક-3, ગોવર્ધન બસ સ્ટોપ પાસે, 150 રીંગ રોડથી ગાયનું દૂધ (લુઝ), (5) શ્રીજી ડેરી ફાર્મ, કિશ્ના કોમ્પલેક્ષ, શોપ નં 4, માધવપાર્ક -2, ગોવર્ધન ચોક, 150થ રીંગ રોડથી ભેંસનું દૂધ (લૂઝ)નો નમુનો લીધેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here