રાજકોટ શહેરનો દિન પ્રતિદિન વિકાસ થઇ રહ્યો છે ત્યારે ટ્રાફિકમાં પણ સ્વભાવિક પણ વધારો થતો હોય છે. લોકો દ્વારા ટ્રાફિક પ્રત્યે વધુને વધુ જાગૃતતા આવે તથા અકસ્માતનો ભય ન રહે તે ધ્યાને લઇ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ દ્વારા ટ્રાફિક અનુલક્ષી સંબંધિત અધિકારીઓને સુચના આપવામાં આવેલ છે.
Subscribe Saurashtra Kranti here
જેમાં શહેરમાં આવેલ મુખ્ય માર્ગો પર જ્યાં સ્પીડ બ્રેકર ઉપર પટ્ટા (થર્મોપ્લાસ્ટ) નીકળી ગયા છે અથવા તો પટ્ટા મારવાના બાકી હોઈ તે સ્પીડ બ્રેકર પર કરવા તેમજ સ્પીડ બ્રેકર બંને સાઈડ વોર્નિંગ બોર્ડ મુકવા, તથા સાઈનબોર્ડ, તેમજ ડીવાઈડરના બંને છેડે રિફલેક્ટર મુકેલ ન હોઈ ત્યાં રિફલેક્ટર મુકવા જેથી અકસ્માતનો ભય ન રહે તેમજ ડીવાઈડરમાં જરૂર જણાયે બોલાર્ડ મુકવા તથા સ્ટોપલાઈન તેમજ ઝીબ્રા ક્રોસિંગના પટ્ટા દોરવા તેમજ જરૂર જણાયે સ્પીડ બ્રેકર પાસે કેટ આઈ મુકવા સંબંધિત અધિકારીઓને સુચના આપવામાં આવેલ છે.
Read About Weather here
જેથી સ્પીડ બ્રેકર પાસે રાત્રીના સમયે પણ અકસ્માતનો ભય ન રહે તેમજ લોકો પણ ટ્રાફિક પ્રત્યે વધુને વધુ જાગૃત થાય તેવુ વધુમાં ડે.મેયર ડો.દર્શિતાબેન શાહએ જણાવેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here