વોર્ડ નં.6ના વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર ભઠ્ઠીઓ પર તપાસ જરૂરી

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટ મનપા ગેરકાયદેસર દબાણ દુર કરવા અનેક ઝુંબેશ ચલાવી રહી છે. શહેરમાંથી અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. અને ગેરકાયદેસર અને સુચીત વિસ્તારોમાં તેમજ કોમન પ્લોટમાં બાંધકાનો સર્વ કરીને તેને પાડવા માટે ઝુંબેશ ચાલી રહી છે ત્યારે એક વાત કહી શકાય કે કદાચ મનપા તંત્રને આજીડેમ વિસ્તારમાં આવેલ માંડા ડુંગર અને રાંદરડા તળાવ નજીક થયેલ ગેરકાયદે બાંધકામ નજરે પડ્યા નથી રાંદરડા તળાવની જમીનો પણ કારખાનાઓ દ્વારા કબ્જે કરીને ગેરકાયદેસર કારખાનાઓ ઉભા કરીને ભઠ્ઠીઓ ધમધમતી કરી છે કે જાણે તેને કોઇ નિયમ જ લાગુ પડતો ન હોય તે રીતે.!

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ શહેરના અનેક વિસ્તારો એવા છે જ્યાં નિયમોને નેવે મુકીને બેફામ રીતે કાળો કારોબાર ચાલી રહ્યો છે. તેનો તાજેતરનો નમુનો છે આજીડેમ ચોકડી અને ભાવનગર રોડ વિસ્તારમાં સર્વ નંબર 157માં પશુરામ ઇન્સ્ટ્રીઝમ આ જમીન સુચીત હોવા પણ અહીં અનેક કારખાનોઓ ચાલી રહ્યા છે. કારખાનો મોટે ભાગે જીઆઇડીસીઓમાં આવેલા હોય છે પરંતુ અહીંયા તો જીઆઇડીસી નથી અને જમીન સુચીત છે ઉપરાંત રહેણાંક વિસ્તારમાં કારખાનાઓ ચાલુ છે. જે એકપણ નિયમમાં બંધ બેસતુ જ નથી કારખાનેદારોએ કોઇ જાદુની છડી લઇને જાણે મંજુરી લઇ લીધી હોય તેવા દ્રશ્યો સામે રહ્યા છે. ઉપરાંત અનેક કારખાનાઓમાં લોખંડની ભઠ્ઠીઓ ચલાવવામાં આવે છે.

લોખંડ ઓગાળવામાં આવે છે આ પ્રક્રિયાઓમાં અનેક ગણુ પ્રદુષણ ફેલાતું હોવાને કારણે તેને શહેરની બહાર કોઇ જીઆઇડીસીમાં આવા કારખાનાઓ રાખવામાં આવતા હોય છે પરંતુ આજીડેમ ચોકડી અને ભાવનગર રોડ વિસ્તારમાં આવા અનેક કારખાનો ધમધમી રહ્યા છે. તેને કોઇ રોકવાવાળું નથી. ઉપરાંત તમામ કારખાના ધારકો લોખંડ ઓગાળ્યા બાદ વધતો કચરો જે ખુબ જ હાનીકારક હોય છે તેનો પણ ખુલ્લે આમ ઢગલો કરી દેવામાં આવે છે યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી. આ બેફામ રીતે અને કાયદાના ડર વિના ચાલતા કારખાનોઓને શું કોઇ રોકવાવાળું છે જ નહીં કે શું??? આ કારખાનાઓમા ભઠ્ઠીઓ ખુબ જ જોખમ કારક હોય છે છતા આવા જોખમ કરાક કામગીરીમાં બાળ મજુરો દ્વારા કામગીરી કરવામાં આવે છે જે ખરેખર ગુનાહીત પ્રવતિ ગણી શકાય.પશુરામ ઇન્સ્ટ્રીઝમાં અનેક કારખાનોઓ ધમધમી રહ્યા છે જેના કારણે તે રહેણાંક વિસ્તારમાં પ્રદુષણ ખુબ જ મોટા પ્રમાણમાં વધી ગયુું છે અને કારખાનોને તાત્કાલીક બંધ તેના વિરૂધ્ધ યોગ્ય પગલા લેવા જોઇએ તો સ્થાનિક રહીશોમાં શુર ઉઠ્યો છે.

Read About Weather here

આ ઉપરાંત ગેરકાયદેસર કારખાનાઓ અનેક ગણુ વિસ્તારમાં પ્રદુષણ ઓકી રહ્યા છે તો આ અંગે પોલ્યુશન બોર્ડ શું અજાણ હશે? તે અંગે પણ પ્રશ્ર્ન સર્જાઇ રહ્યો છે. શું પોલ્યુશન બોર્ડની આ કારખાનો વાળા સાથે કંઇ સાઠગાઠ હશે તે પણ થયા વિના અહિંયા રહેતો નથી.આાગામી દિવસોમાં જો કોઇ અરજદાર કે સ્થાનિક રહેવાસીઓ દ્વારા કારખાનાના પ્રદુષણ અને ગેરકાયદેસ અંગેની અરજી ઉપર લેવલ સુધી પહોંચશે તો અનેક ના તપેલા ચડી જશે તે વાત નકારી શકાય નહીં. કારખાનાઓના પ્રદુષણથી આજુબાજુનો વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે તે અંગે તંત્રે લાલઆંખ કરવી જ જરૂરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here