ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પટેલની સૂચના અનુસાર અને રાજકોટ જિલ્લાના સંગઠન પ્રભારી મહેન્દ્રભાઈ સરવૈયા, રક્ષાબેન બોળિયા, જિલ્લા પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા, મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાના માર્ગદર્શન હેઠળ આગામી વિધાનસભા ચૂંટણીના સંદર્ભે ગુજરાત પ્રદેશ ભાજપાની યોજના અનુસાર રાજકોટ જિલ્લામાં વિધાનસભા સીટ સહ ગુજરાત પ્રદેશ ભાજપના
Visit Saurashtra Kranti Homepage here
અગ્રણીઓ વસુબેન ત્રિવેદી જેતપુર વિધાનસભામાં, મુળુભાઇ બેરા જસદણ વિધાનસભામાં, કેશુભાઇ નાકરાણી ગોંડલ વિધાનસભામાં, ડો.ભરતભાઈ કાનાબાર ધોરાજી વિધાનસભામાં, બાવનજીભાઈ મેતલીયા રાજકોટ ગ્રામ્ય વિધાસભામાં ચૂંટણીલક્ષી રણનીતિ ઘડવા તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારએ કરેલા વિકાસકાર્યોને કાર્યકર્તાઓ તથા જન-જન સુધી પહોંચાડશે.
Read About Weather here
આ તકે ગુજરાત પ્રદેશ ભાજપા આગેવાનો રાજ્ય અને કેન્દ્રની વિવિધ યોજનાઓનો લાભ ગરીબ અને સામાન્ય પરિવારોને લાભ મળી રહે તે માટે ઘરે ઘરે જઈ કોઈ પણ લાભાર્થી સરકારની યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે ખાસ કાળજી લેશે. તેમ રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરૂણભાઈ નિર્મળે જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here