રેલવે ઓવરબ્રિજ તોડવાથી થતી ટ્રાફિક સમસ્યા નિવાડવા માસ્ટર પ્લાન

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
વાપી રેલવે ઓવરબ્રિજને તોડવા પૂર્વે વાપી ઇસ્ટ અને વેસ્ટનો ટ્રાફિકના નિયમનમાં કોઇ અડચણ ન થાય અને ટ્રાફિક સમસ્યાના નિરાકરણ અર્થે મંગળવારે વલસાડ જિલ્લા પોલીસ ડો. રાજદીપસિંહ ઝાલા, પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ, ઉપપ્રમુખ અભય નહાર અને આરએન્ડબીના ઇજનેર જતિન દેસાઇ સહિતની ટીમે વાપી સ્ટેશનના પૂર્વ ભાગમાં સ્થળ નિરીક્ષણ કરીને બ્રિજ તૂટ્યા બાદ વાહનોની અવરજવરમાં સરળતા રહે અને ટ્રાફિક સમસ્યા ન ઉદભવે એ માટે જરૂરી ચર્ચા કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

વાપી ટાઉન પીઆઇ બી.જે. સરવૈયા, અને એસઓજી પીઆઇ વી.બી. બારડ, જીઆઇડીસીના પીઆઇ વી.જી. ભરવાડ પણ ઉપસ્થિત રહ્યા હતા.સિટી બસ-રીક્ષા માટે અલગથી પાર્કિગ વ્યવસ્થા કરાશેવાપી સિટી બસ સેવાની બસો માટે સ્ટેશનની બહાર અલગથી વ્યવસ્થા કરી આપવામાં આવશે જેથી કરીને પેસેન્જર બેસાડવા માટે માર્ગની સાઇડે પાર્ક ન થાય.

Read About Weather here

આ ઉપરાંત દરેક રીક્ષા લાઇન બંધ ગરનાળા તરફના માર્ગ ઉપર ઊભી રખાશે. એક પછી એક રિક્ષા સ્ટેશનની બહાર આવશે અને પેસેન્જરને બેસાડીને રવાના થશે. આમ રીક્ષાના પેસેન્જરને ડ્રોપ અને પિકઅપ કરવા માટે ખાસ જગ્યા ફાળવી અપાશે જેથી કરીને ખોટી ટ્રાફિક સમસ્યા ન ઉદભવે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here