રૂ.400 લાખના કામનું ખાતમુહુર્ત

રૂ.400 લાખના કામનું ખાતમુહુર્ત
રૂ.400 લાખના કામનું ખાતમુહુર્ત
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે સેવા અને સમર્પણના પર્યાય એવા દેશના આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સખત પરીશ્રમ કરીને વૈશ્વીક કક્ષા પર વિકાસ અને સુશાસન માટે ભારતને મોખરે રાખવા કટીબધ્ધ છે ત્યારે માન. નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિને આગળ વધારતા રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને પ્રદેશ ભાજપ અધ્યક્ષા સી.આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ રાજયની ભાજપ સરકાર પ્રત્યેક વિભાગમાં તલસ્પર્શી આયોજન કરીને પ્રત્યેક ક્ષોત્રમાં યોજનાવાર વિકાસલક્ષી નકકર કામગીરી કરી રહી છે. અને સમગ્ર ગુજરાતના તમામ ગામ-શહેરોને સ્પર્શતી બાબતો અને સમગ્ર જનસમુદાયને સાંકળતી જનકલ્યાણકારી યોજનાઓને કારણે ‘સર્વજન હિતાય’ના શુભ સંદેશની સાથે ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ’ ના મંત્રને ચરિતાર્થ કરી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે વિકાસલક્ષી રાજનીતિ, ઈમાનદાર પ્રશાસન અને ગરીબોની સેવાને વરેલી રાજયની ભાજપા સરકાર રાજયમાં વિકાસગાથા રચી રહી છે.તાજેતરમાં ચોમાસામાં ભારે વરસાદને પગલે રાજકોટ જિલ્લાના હાઈ-વે ને નુકશાન થયેલ હોય ગ્રામજનો વતી પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી,પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા ,પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા,રાજયના મંત્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર,પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા,રક્ષાબેન બોળીયા,જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા તથા મહામંત્રીઓ નાગદાનભાઈ ચાવડા,મનસુખભાઈ રામાણી,મનીષભાઈ ચાંગેલા એ આ તમામ રસ્તાઓ રી-કાર્પેટ કરવા માટે રાજય સરકારને રજુઆત કરેલ હોય, ઉપરોકત અગ્રણીઓની સફળ રજુઆતને પગલે હાલ રાજકોટ જિલ્લાના મોટાભાગના હાઈવે- રસ્તા પર કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે

Read About Weather here

અને અમુક રસ્તાઓની કામગીરી હાલ ચાલુ છેરાજકોટ જિલ્લામાં રૂા. ૪૦૦ લાખના ખર્ચે મંજુર થયેલ કુવાડવાથી વાંકાનેર સ્ટેટ હાઈવે પર રી-કાર્પેટ કામનો પ્રારંભ રાજયના મંત્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર, વાંકાનેરના પ્રભારી અરજણભાઈ રબારી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ હતું. આ તકે તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ નસીત,ઉપપ્રમુખ,મહેશભાઈ ગોલીડા,મહામંત્રી હિતેશભાઈ ચાવડા,તથા ગૌરવસિંહ જાડેજા રાજાભાઈ ચાવડા,સંજયભાઈ રંગાણી,અનુ.મોર્ચા ઉપપ્રમુખ નરોતમભાઈ પરમાર, પ્રકાશભાઈ કાકડિયા,તાલુકા પંચાયત સદસ્ય ચેતનભાઈ કથીરિયા,વિક્રમભાઈ હુંબલ,ભરતભાઈ ડાભી,નીલેશભાઈ પીપળીયા,દેવભાઈ કોરડીયા,સંદીપભાઈ રામાણી,સી.ટી.પટેલ,સંગઠનના હોદેદારો, જિલ્લા- તાલુકા પંચાયતના પદાધિકારીઓ તથા સદસ્યો, વિવિધ ગામના સરપંચો,સહકારી અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા અને રાજયના મંત્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરની સફળ રજૂઆત બદલ આભારની લાગણી વ્યકત કરી હતી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here