વોકિંગ કરવા નીકળેલા 15થી 20 લોકો પકડાયા, હોમ ક્વોરન્ટીનનો ભંગ કરનાર 35 સામે કાર્યવાહી
8 વાગ્યાથી જ રાત્રિ કર્ફ્યૂની કડક અમલવારી રાજકોટ શહેરમાં શરૂ કરી દેવામાં આવે છે
Subscribe Saurashtra Kranti here
રાજકોટ સહિત રાજ્યના 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યું છે. રાત્રિના 8 વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂની અમલવારી શરૂ થઇ જાય છે. ત્યારે ગઇકાલે રાત્રિના રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ રાત્રિ કર્ફ્યૂની કેવી રીતે અમલવારી થાય છે તે ચકાસવા માટે સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળ્યા હતા. આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન 15થી વધુ લોકો રસ્તા પર વોકિંગ કરતા ખુદ પોલીસ કમિશનરના હાથે પકડાયા હતા.
આ તમામને ઘરમાં રહેવા કડક સૂચના આપવામાં આવી હતી. તેમજ હોમ ક્વોરન્ટીનનો ભંગ કરનારા 35 લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, કોવિડ મહામારીમાં સંક્રમણ વધતું અટકાવવા રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. જેમાં લોકોએ રાત્રિના 8 વાગ્યા બાદ ઘરની બહાર ન નીકળવું તેવું સ્પષ્ટ જાહેર કરવામાં આવ્યું છે. છતાં કેટલાક લોકો બહાર નીકળે છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ચોક્કસ 8 વાગ્યાથી જ કર્ફ્યૂની કડક અમલવારી રાજકોટ શહેરમાં શરૂ કરી દેવામાં આવે છે અને છેલ્લા બે દિવસમાં કર્ફ્યૂ ભંગ કરતા 30થી વધુ લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આ સાથે ગઇકાલે દિવસ દરમિયાન માઇક્રો ક્ધટેનમેન્ટ ઝોનમાંથી હોમ ક્વોરન્ટીન ભંગ કરી 35 લોકો બહાર આવ્યા હોવાનું સામે આવતા તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
Read About Weather here
ઉલ્લેખનીય છે કે, પોલીસ કમિશનર દ્વારા ક્વોરન્ટીન લોકોને પોલીસની સેફ એપ્લિકેશન ડાઉનલોડ કરી દર 4થી 6 કલાકના અંતરે ઘરેથી ફોટો પાડી તેમાં હાજરી પુરવા અંગે અપીલ કરવામાં આવી છે. છતાં કેટલાક લોકો જાતે હોમ ક્વોરન્ટીન થાય તેની વિગત તંત્ર પાસે નથી તે લોકો નિયમ ભંગ કરી રહ્યાં છે. તેને અટકાવી કાર્યવાહી કરવી જરૂરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here