રાજસ્થાન થી મુંબઈ જતી લકઝરી બસનો ગોઝારો અકસ્માત

રાજસ્થાન થી મુંબઈ જતી લકઝરી બસનો ગોઝારો અકસ્માત
રાજસ્થાન થી મુંબઈ જતી લકઝરી બસનો ગોઝારો અકસ્માત
વડોદરામાં કપૂરાઈ ચોકડી પાસે રાજસ્થાનના ભીલવાડાથી મુંબઈ જતી લકઝરી બસ ટ્રેલર સાથે અથડાતાં ગોઝારો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 6 લોકોનાં મોત અને 17 લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

બસ રાજસ્થાન ભીલવાડાથી મુંબઈ જતી હતી એ દરમિયાન વહેલી સવારે ઘઉં ભરેલા ટ્રેલરને ઓવરટેક કરવા જતાં ગોઝારો અકસ્માત થયો છે. ખાનગી બસ વહેલી સવારે ઓવરટેક કરવાની લાયમાં ઘઉં ભરેલા ટ્રેલરે ધડાકાભેર અથડાઈ હતી, જેને કારણે આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માત બાદ ખાનગી બસમાંથી મુસાફરોને બહાર કાઢવા માટે બસનાં પતરાં કાપવા પડ્યાં હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here