સાતમ-આઠમ, ગણેશ ઉત્સવ સહિતના તહેવારો માટે કફર્યુમાં છૂટછાટ અપાઇ હતી: તા.15 થી 25 સપ્ટેમ્બર સુધી રાત્રે 11થી સવારના 6 સુધી કફર્યુ લાગુ રહેશે
સાતમ-આઠમ, ગણેશ ઉત્સવ સહિતના તહેવારો દરમ્યાન રાજયના આઠ મહાનગરોમાં નાઇટ કફર્યુમાં અપાયેલી છૂટછાટો પાછી ખેંચી લેવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે
Visit Saurashtra Kranti Homepage here
અને રાજકોટ સહિતના આઠ મહાનગરોમાં નાઇટ કફર્યુ તા.25 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. નાઇટ કફર્યુ રાત્રે 11થી સવારનાં 6 સુધી લાગુ રહેશે. તેવું રાજય સરકારે નવું જાહેરનામું બહાર પાડયું છે.
રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જૂનાગઢમાં નાઇટ કફર્યુ અવધી લંબાવી દેવામાં આવ્યું છે.
ગયા મહિને રાજય સરકારે તહેવારોને અનુલક્ષીને આઠ મહાનગરોમાં નાઇટ કફર્યુમાં થોડી છૂટછાટો આપી હતી. રાત્રે 1 વાગ્યાથી નાઇટ કફર્યુ શરૂ થતો હતો. તહેવારોની સારી રીતે ઉજવણી થઇ શકે એ માટે આ છૂટછાટો આપવામાં આવી હતી.
Read About Weather here
રાજયના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા બાદ નવો આદેશ બહાર પાડી રાજય સરકારે રાત્રી કફર્યુ લંબાવી દીધો છે અને જૂનો સમય ફરી લાગુ કરવામાં આવ્યો છે.(2.11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here