કાયમી સફાઈ કામદારોની ભરતી કરો, નહીંતર આંદોલન
ચાર વર્ષથી ભરતી થઈ નથી, અગાઉના મુખ્યમંત્રીની ખાતરીનું પાલન થયું નહીં
છેલ્લા ચાર વર્ષથી કાયમી સફાઈ કામદારોની ભરતી કરવામાં આવી ન હોય તે બાબતે અંતિમ ચેતવણી આપીને વાલ્મિકી સેનાના પ્રમુખ બટુકભાઈ પ્રેમજીભાઈ વાઘેલા અને શ્રી સત્ય હનુમાનજી સેવા ટ્રસ્ટના પ્રમુખ ચમનલાલ શામજીભાઈ પરમારે આંદોલનની ચીમકી આપી છે.
Visit Saurashtra Kranti Homepage here
તેમણે જણાવ્યું કે, સને 2018માં વાલ્મિકી સમાજના સફાઈ કામદારોની રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી બાબતે વાલ્મિકી સમાજના ધર્મગુરૂ 14 દિવસની છાવણી નાખી ઉપવાસ – આંદોલન ઉપર બેઠેલા હતા.
તે સમયે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ બાબતે મહાનગર પાલિકાના કમિશનરને સફાઈ કામદારોની ભરતી કરવા બાબતે સૂચના આપી હતી. પરંતુ આજદિવસ સુધી સફાઈ કામદારોની ભરતી કરવામાં આવી નથી.
એવું લાગે છે કે ધર્મગુરૂ સાથે છેતરપીંડી થઈ છે. અવારનવાર રજુઆતો કરવા છતાં આજદિન સુધી અધિકારીઓ, પદાધિકારીઓ અને સતાધારી પક્ષના નેતાઓને પણ રજૂઆત કરવા છતાં આ ભરતીનું પ્રકરણ પુરૂ કરવામાં આવ્યું જ નથી. અન્ય ડીપાર્ટમેન્ટમાં અવારનવાર ભરતીઓ થતી હોય.
ત્યારે સફાઈ કામદારની ભરતીમાં શું કામ રૂકાવટ આવે છે ? કોના કહેવાથી રૂકાવટ આવે છે ? જો આગામી દિવસોમાં સફાઈ કામદારોની ભરતી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
આ સાથે સફાઈ કામના કોન્ટ્રાકટ રદ કરવા, સફાઈ કામદારોની હાલના સેટઅપ મુજબ નવા વિસ્તાર મુજબ ભરતી કરવી, કોન્ટ્રાકટમાં કામ કરતા સફાઈ કામદારોના કોન્ટ્રાકટર અન સખી મંડળના રોજમાં તફાવત છે. રૂા.158 અને રૂા.120 નો તે એક સરખો કરવો,
કોર્પોરેશનમાં જે કલાર્કની પરીક્ષા લેવામાં આવી તેમાં વાલ્મિકી સમાજના સફાઈ કર્મચારી પરીક્ષા પાસ કરેલ છે તેને પ્રમોશન આપવા, મુકાદમની જે જગ્યા ખાલી પડેલ છે. તેમાં સફાઈ કામદારોમાંથી પ્રમોશન દ્વારા સમાવેશ કરવો,
Read About Weather here
કાયમી સફાઈ કામદારો પાસેથી બપોરના સમયે જે વેઠ પ્રથા છે તે બંધ કરવી અને નિયમ સફાઈ કામદારો પાસેથી 8 કલાકમાં જે સુપ્રિમકોર્ટની ગાઈડલાઈન આપી છે તે મુજબ એટલા ચોરસ મીટરનું કામ લેવું તેવી અંતમાં માંગણી કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here