રેવન્યુ અધિકારીઓ પર તોડ કરવાનો ગંભીર આરોપ
ખોટી કવેરી કાઢી અધિકારીઓ ‘તોડ’ કરતા હોવાના આક્ષેપથી ખળભળાટ
ખેતીની જમીનમાં વેચાણ, બિનખેતી, ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર, ખરી નકલો તેમજ રેવન્યુ ઓફિસોમાં લગતા 10 વિષયોનાં મુદ્દા પર ખેડૂતો તથા અરજદારો દ્વારા અમોને મળેલ રજૂઆત તથા ખેડૂતો તેમજ સરકાર વચ્ચે સંલગ્ન કરી સુગમતા પાથરવા લગતા અધિકારીઓન હુકમ કરી ત્વરીત સૂચનાઓ આપવા રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રાજકોટ ભાજપનાં નેતા ચેતનભાઈ રામાણીએ પત્ર પાઠવી રજૂઆત કરી છે.
Read Local News / Articles : Saurashtra , Gujarat
વર્ષ 1955 પહેલાની જૂની નોંધો, જુનું રેકર્ડ નિભાવવાની જવાબદારી સંબંધિત રેવન્યુ અધિકારીની હોય છે. તેઓએ આ રેકર્ડ વ્યવસ્થિત નિભાવેલ ન હોય, રેકર્ડની જાળવણી તથા સાચવણી કરેલ ન હોય, જેના કારણે જૂની નોંધ-જુનું રેકર્ડ ઉપલબ્ધ થતું નથી અને તેનો ભોગ ખેડૂતોએ બનવું પડે છે.
રેવન્યુ અધિકારીઓ દ્વારા પ્રમાણિત કરેલ નોંધો ધ્યાને લેવામાં આવતી નથી અને ટાઈટલમાં નાની-મોટી બિન જરૂરી ક્વેરીઓ કાઢી મોટો વહીવટ કરવામાં આવે છે. તેવો ગંભીર આરોપ કરતા ખળભળાટ મચી ગયો છે.
Read About Weather here
ખેતીની જમીનમાં વેચાણ, બિનખેતી, ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર, ખરી નકલો વિગેરેમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે.(1.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here