વિવિધ શાળા-કોલેજો, જાહેર સ્થળોએ યુવા મોરચાના કાર્યકર્તાઓ ધુમી વળશે: ટીલવા, જાડેજા, પીપળીયા
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજયમાં યુવાનોને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારામાં જોડવા માટે યુવા મિત્ર અભિયાન સમયગાળામાં કાર્યરત કરવામાં આવેલ છે.
જેમાં ત્રણ તબકકે યુવાવર્ગને પાર્ટીમાં જોડવામાં આવશે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની યોજનાનુસાર રાજયનો પ્રત્યેક યુવાનોમાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારાનું સિંચન થાય અને પાર્ટીમાં જોડાઈ દેશના વિકાસમાં સહભાગી થાય તેવા શુભ આશયથી આ અભિયાન શરૂ કરવામાં આવેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
ત્યારે પ્રદેશ યુવા મોરચાપના અઘ્યક્ષ ડો. પ્રશાંતભાઈ કોરાટના અધ્યક્ષસ્થાને સમગ્ર ગુજરાતમાં ત્રણેય તબકકા મળી લાખો યુવાનોને રાષ્ટ્રવાદની વિચારધારા સાથે જોડવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડવામાં આવી રહ્યા છે.
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપલીયાની આગેવાનીમાં શહેર યુવા મોરચા દ્વાર ‘યુવા મિત્ર અભિયાન’ અંતર્ગત શહેરની વિવિધ શાળા-કોલેજ-હોસ્ટેલ અને વિવિધ જાહેર સ્થળોએ બીજા તબકકા અંતર્ગત ‘મહાસંપર્ક અભિયાન’નો પ્રારંભ કરવામાં આવેલ હતો.
Read About Weather here
ત્યારે આ અભિયાનને યુવાવર્ગ તરફથી બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે અને આ અભિયાનને સફળ બનાવવા શહેર ભાજપ યુવા મોરચાના હોદેદારો પુર્વેશ ભટ્ટ, જયકિશન ઝાલા, પ્રવિણ સેગલીયા, જયપાલ ચાવડા, મંત્રી સહદેવ ડોડીયા, કેયુર અનડકટ, કરણ સોરઠીયા, સંજય વજકાણી, પાર્થરાજ ચૌહાણ, ગૌરવ મહેતા, સુનીલ ગોહેલ, નીરવ રાયપુરા, અંકિત કુવાડીયા, નીલ પટેલ, ધ્રુવ કાલરીયા સહિતના જહેમત ઉઠાજી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here