યુપીના મૈનપૂરી ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા ખોદકામ દરમ્યાન ધાતુમાંથી બનાવેલા 3800 વર્ષ જુના હથિયારો મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મળી આવેલા હથિયારોમાં ધાતુમાંથી બનાવેલી તલવારો, તીર, ખંજર જેવા શસ્ત્રોનો સમાવેશ થાય છે.
Visit Saurashtra Kranti Homepage here
એએસઆઈનાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, યુપીનાં બાગપદ પાસેનાં સીનોલી ગામે ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે ખેડૂતે આ બધી ચીજો જોઇને તુરંત જાણ કરી હતી. આ હથિયારો કાસીય યુગના હોવાનું જાણવા મળ્યું છે. ખોદકામ દરમ્યાન કેટલીક આકર્ષક કલાકૃતિઓ, ભઠ્ઠીઓ અને મૃતદેહો દફન કરવા માટેનાં કોકીન પણ મળી આવ્યા હતા.
.સ. પૂર્વે 1600 થી 2000 વચ્ચેના સમયગાળામાં અનેક યુધ્ધો થયા હોવાનું આ હથિયારો પરથી સ્પષ્ટ થાય ગંગા અને યમુના નદીઓ વચ્ચે જે સંગમ થાય છે એ વિસ્તારોમાંથી જ પ્રાચીન હથિયારો મળી આવ્યા છે.
Read About Weather here
અગાઉ 2018 માં હડપ્પા સંસ્કૃતિના સ્મશાન વિસ્તારના ખોદકામ દરમ્યાન સીનોલી વિસ્તારમાં ધાતુના બનેલા બે રથ અને 8 મૃતદેહો પણ મળી આવ્યા હતા.આ વિસ્તારમાં અવારનવાર ખોદકામ દરમ્યાન વિવિધ ધાતુના બનેલા ખંજર, તલવારો અને મળી આવે છે. મોટાભાગનાં હથિયારો તાંબાની ધાતુના બનેલા હોવાનું જાણવા મળ્યું છે. એ તમામ હથિયારોનું ખાસ આધુનિક ટેકનિકથી બેટિંગ કરવામાં આવી રહ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here