મોરબીમાં શું થયું? કઈ રીતે થયું: વડાપ્રધાને ઝીણામાં ઝીણી વિગતો મેળવી

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

મોરબીમાં ઝૂલતા પુલ હોનારતને કારણે વ્યથિત થયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાજભવન ખાતે આખરે ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવી હતી અને દુર્ઘટનાના તમામ પાસાઓ અને હકીકતોની જાણકારી મેળવી હતી. વડાપ્રધાને અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય તાકીદે પૂરી પાડવા પર ભાર મુક્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

વડાપ્રધાને રાહત અને બચાવ કામગીરી વિશેની પણ રજેરજની જાણકારી મેળવી હતી. ઉચ્ચ કક્ષાની બેઠકમાં વડાપ્રધાનને રાહત અને બચાવ કામગીરીની વિગતો અપાઈ હતી. પુલની પરિસ્થિતિ અંગે પણ વડાપ્રધાન સમક્ષ અહેવાલ મુકવામાં આવ્યો હતો. વડાપ્રધાને દુર્ઘટના પછીની કામગીરીની પણ ઊંડી સમીક્ષા કરી હતી.
ઉચ્ચ કક્ષાની બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ તેમજ રાજ્યના પોલીસવડા તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read About Weather here

વડાપ્રધાને ફરી એકવખત એ હકીકત પર ભાર મુક્યો હતો કે, અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય મળે એ સુનિશ્ર્ચિત કરવામાં આવે. આ અંગે તેમણે જરૂરી સુચના પણ આપી હોવાનું કહેવાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here