મનપા વેરા વસુલાત શાખા દ્વારા 45 મિલ્કતો સીલ: રૂા.81.54 લાખની રીકવરી

મનપા વેરા વસુલાત શાખા દ્વારા 45 મિલ્કતો સીલ: રૂા.81.54 લાખની રીકવરી
મનપા વેરા વસુલાત શાખા દ્વારા 45 મિલ્કતો સીલ: રૂા.81.54 લાખની રીકવરી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બાકી રહેતા વેરાની વસુલાત માટે વેરા વસુલાત શાખા સક્રિય બની છે અને કુલ 45 મિલ્કતોને સીલ કરી 81.54 લાખની રીકવરીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

વોર્ડ નં- 1માં નાણાવટી ચોક પાસે આવેલ જાસલ કોમ્પ્લેક્ષ માં 2 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.00 લાખ, નાણાવટી ચોક પાસે આવેલ જાસલ કોમ્પ્લેક્ષમાં ઓફિસ નં.,331, 332, 413 ના યુનિટને સીલ મારેલ. વોર્ડ નં-4માં જુના મોરબી રોડ પર આવેલ રાજકોટ મર્ચન્ટ એસોસિએશનના યુનિટને સીલ મારેલ., સદગુરૂનગર માં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.60 લાખ. વોર્ડ નં-5માં પેડક રોડ પર આવેલ સર્વેશ્વર ચેમ્બર ગ્રા. ફ્લોર શોપ નં.11 અને 13 ના યુનિટને સીલ મારેલ. વોર્ડ નં-6માં સંત કબીર રોડ પર આવેલ શ્રી સોનલ કોમ્પ્લેક્ષ માં આવેલ શોપ નં.6 7 ના યુનિટને માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.26 લાખ.

વોર્ડ નં-7માં રજપૂત પરા માં આવેલ સજય એપાર્ટમેન્ટ ઓફિસ નં.307, 310ના યુનિટને સીલ મારેલ, રજપૂતપરામાં આવેલ મહાવીર નિવાસ ઓફિસ નં.20ના યુનિટ ને સીલ મારેલ, રજપૂતપરામાં આવેલ અક્ષર હાઉસ શોપ નં.1 ના યુનિટ ને સીલ મારતા રીકવરી રૂ.3.90 લાખ, રજપૂતપરામાં આવેલ અક્ષર હાઉસ શોપ નં.2ના યુનિટ ને સીલ મારતા રીકવરી રૂ.53,000, રજપૂત પરામાં આવેલ અક્ષર હાઉસ શોપ નં.3 ના યુનિટ ને સીલ મારતા રીકવરી રૂ.5.80 લાખ, ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં આવેલ ગજહંસ કોમ્પ્લેક્ષમાં 1-યુનિટનાને સીલ મારતા રીકવરી રૂ.73551, ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં આવેલ ગજહંસ કોમ્પ્લેક્ષમાં 301ના યુનિટનાને સીલ મારતા રીકવરી રૂ.98,698. વોર્ડ નં- 8માં કાલાવાડ રોડ પર આવેલ બિઝનેશ પાર્ક માં ફસ્ટ ફ્લોર પર આવેલ શોપ નં.101 યુનિટને સીલ મારેલ. તથા વોર્ડ નં.9થી 18માં પણ આ કાર્યવાહી હાથ ધરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

સે.ઝોન દ્વારા કુલ-17 મિલ્કતોને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરેલ તથા રીક્વરી રૂા.18.90.લાખ, વેસ્ટ ઝોન દ્વારા-11 મિલ્કતોને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરેલ તથા રીકવરી રૂા.13.54 લાખ, ઇસ્ટ ઝોન દ્વારા-17 મિલ્કતોને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરેલ તથા રીકવરી રૂા.49.10 લાખ. આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ-45 મિલ્કતોને સીલ કરેલ તથા રીકવરી રૂા. 81.54 લાખ રીકવરી કરેલ છે.આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા આસી.કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here