ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે તેઓ આટકોટમાં કે.ડી.પી. હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે, ત્યારે સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત પ્રવાસને આવકારતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની ધરતી પર નરેન્દ્રભાઈ મોદીનું અભૂતપૂર્વ સ્વાગત અને આગવું અભિવાદન કરવા માટે ભાજપના કાર્યકરો અને જનતા ઉત્સાહિત છે. સંઘ-ભાજપમાં એક સામાન્ય કાર્યકરથી રાષ્ટ્ર-ભારતના એક શ્રેષ્ઠ પ્રધાનમંત્રી બન્યા બાદ પણ અવારનવાર નરેન્દ્રભાઈ મોદી પોતાના અતિ વ્યસ્ત કાર્યક્રમમાંથી પણ સમય કાઢીને લોકકલ્યાણના કાર્યો માટે રાજકોટ-સૌરાષ્ટ્ર આવવાનો મોકો ચૂકતા નથી.
Visit Saurashtra Kranti Homepage here
વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચારક તરીકે તેમણે અનેક વખત રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના પ્રવાસો ખેડ્યા છે. સૌ પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ નરેન્દ્રભાઈ મોદી રાજકોટથી ધારાસભ્ય પદની ચૂંટણી લડ્યા અને બહુમતીથી જીત્યા હતા. રાજકોટ-સૌરાષ્ટ્રના લોકો માટે નરેન્દ્રભાઈ મોદીએ આંતરરાષ્ટ્રીય કક્ષાની ભેટ ધરી છે.રાજુભાઈ ધ્રુવે અંતમાં જણાવ્યું હતું કે, આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે કે.ડી.પી. હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે તે ઈશ્ર્વરના આશીર્વાદ રૂપ હોસ્પિટલનું સૌરાષ્ટ્રની પ્રજાને ભેટ આપનાર ડો.ભરતભાઈ બોઘરા ભાજપ પરિવારના સભ્ય છે તે વાતનો આનંદસહ ગૌરવ છે.
Read About Weather here
રાજકોટના અંતરિયાળ વિસ્તાર જસદણ, વીંછીયા ઉપરાંત સુરેન્દ્રનગર, ભાવનગર અને અમરેલી ,જૂનાગઢ જિલ્લાને આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને લીધે આરોગ્યની સેવાઓનો વિશેષ લાભ મળશે. રાજકોટ-સૌરાષ્ટ્રને એઈમ્સ બાદ આરોગ્યક્ષેત્રે મળી રહેલી વધુ એક ભેટનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. ભાજપના નાનામાં નાના સામાન્ય કાર્યકરો, સ્થાનિકથી લઈ રાષ્ટ્રીય અગ્રણીઓ, પ્રદેશ કક્ષાથી લઈ કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યના મુખ્યમંત્રીથી લઈ રાષ્ટ્રના પ્રધાનમંત્રી સુધી રહેલા સૌ કોઈ રાજકોટ-સૌરાષ્ટ્રના સેવાયજ્ઞમાં પોતપોતાનું યોગદાન આપતા રહેશે એવું રાજુભાઈ ધ્રુવે અંતમાં જણાવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here