બોરિસ જ્હોન્સન ગુજરાત આવનારા પ્રથમ બ્રિટિશ પીએમ છે. તેઓ એક અગ્રણી ઉદ્યોગપતિ સાથે બેઠક કરશે તથા ભારત અને બ્રિટન વચ્ચે વાણિજ્યિક સહકાર વધારવા માટે ચર્ચા કરશે. બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોન્સન તેમનો ભારત પ્રવાસ ગુજરાતથી શરૂ કરી રહ્યાં છે. 21 એપ્રિલે તેઓ સવારે આઠ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે અને રાત્રે સાડા નવ વાગ્યે તેઓ દિલ્હી રવાના થઈ જશે. આ સાડા તેર કલાકની મુલાકાતમાં તેઓ માત્ર એક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મળશે. બાદમાં હાલોલ ખાતેના જેસીબી પ્લાન્ટની મુલાકાત લેશે.અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોરીસ જ્હોન્સનનું સ્વાગત કરશે.
Visit Saurashtra Kranti Homepage here
બોરીસ જ્હોન્સન સૌ પ્રથમ સાબરમતિ આશ્રમની મુલાકાત લેશે. બાદમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મળવા માટે અદાણી ટાઉનશીપ જશે. ત્યાર બાદ તેઓ વડોદરામા હાલોલ ખાતેના જેસીબી પ્લાન્ટની મુલાકાત લેશે. બોરીસ જ્હોન્સનની મુલાકાતના સમગ્ર કાર્યક્રમનું ટાઈમ શેડ્યુલ્ડ જાહેર કરવામાં આવ્યું નથી. સુત્રોએ જણાવ્યું છે કે ગુજરાતમાં બિઝનેસ ડેલિગેશન સાથે તેમની કોઈ મુલાકાત ગોઠવાઈ નથી. તેઓ વડાપ્રધાન મોદીને 22 એપ્રિલે દિલ્હીમાં જ મળવાનાં છે. તેમની ગુજરાતમાં માત્ર ગૌતમ અદાણી સાથે જ મુલાકાત ગોઠવાઈ હોવાનું જાણવા મળ્યું છે.બ્રિટન ભારતની સાથે વાર્ષિક વેપારને 2.89 લાખ કરોડ સુધી લઇ જવા માટે ઇચ્છુક છે. જ્હોન્સનનો ભારત પ્રવાસ 2020થી ટળતો આવ્યો છે. 2021માં તેમણે પીએમ મોદી સાથે વર્ચ્યુઅલ શિખર બેઠક કરી હતી.
Read About Weather here
એમાં 2030 સુધી માટે વ્યૂહાત્મક અને વ્યાપાર સહયોગનો રોડમેપ તૈયાર કરાયો હતો. ભારત બ્રિટનમાં 5300 કરોડ રૂપિયાની રોકાણ સમજૂતી પર સહમતિ સાધી ચૂક્યું છે. હવે અને 2035 સુધીના એજન્ડામાં પણ સામેલ કરાશે.બ્રિટન યુરોપીય સંઘથી જોડાણ તોડી ચૂક્યું છે. હવે ભારત સાથે વેપારથી જ્હોન્સન પોતાના દેશમાં મોંઘવારી ઓછી કરવા માટે ઉપભોક્તા વસ્તુઓના ક્ષેત્રમાં સહયોગની આશા લઇને આવી રહ્યા છે.બ્રિટનની સાથે નોલેજ શેરિંગ પાર્ટનરશિપ આ પ્રવાસનો મહત્ત્વનો એજન્ડા છે.ગ્રીન ટેક્નોલોજી અને ઉચ્ચ કૌશલ્ય ધરાવતી નોકરીઓના અવસરોનું સર્જન કરવા માટે પણ બંને દેશો આતુર છે, સાથે જ બ્રિટનમાં 53 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here