પ્રેમીએ ના પાડતા વિધવાએ સદર બજાર ચોકમાં…

પ્રેમીએ ના પાડતા વિધવાએ સદર બજાર ચોકમાં ઝેર પી લીધું
પ્રેમીએ ના પાડતા વિધવાએ સદર બજાર ચોકમાં ઝેર પી લીધું

15 વર્ષ પહેલા લગ્ન કરનાર યુવતીના પતિએ દોઢેક વર્ષ પહેલા જીંદગી ટુંકાવી લીધા બાદ એકલવાયું જીવન વ્યતિત કરતી હતી ; અન્ય યુવક સાથે આંખ મળ્યા બાદ પ્રેમ પાંગર્યો

નવા થોરાળાના વિનોદનગરમાં રહેતા અને બે સંતાનો ધરાવતા નિતુબેન નામના ૩૫ વર્ષના વિધવા મહિલાએ સદર બજાર નજીક પારશી અગીયારી ચોક પાસે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પ્રનગર પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

પ્ર.નગરનાં જમાદાર હરેશભાઈ રત્નોતર અને માયાબન સાટોડીયાની તપાસમાં ખુલ્યા મુજબ, મુળ ખેરડીના નિતુબેનના લગ્ન આશરે પંદરેક વર્ષ પહેલા થયા હતાં. જેના ફળસ્વરૂપ સંતાનમાં એક પુત્ર અને પુત્રીની પ્રાપ્ત થઈ હતી. દોઢેક વર્ષ પહેલા તેના પતિએ જીંદગી ટુંકાવી લેતા તે એકલવાયું જીવન વ્યતિત કરવા લાગ્યા હતાં.

દરમિયાન સાતેક માસ પહેલા પ્રકાશ (રહે, આજીડેમ ચોકડી પાસે) નામના યુવક સાથે આંખો મળી જતા પ્રેમ થઈ ગયો હતો. બાદમાં થોડા દિવસો પહેલા તેણે પ્રકાશને લગ્ન કરવા માટે કહેતા તેણે લગ્ન કરવાની સહમતી દાખવી પરંતુ બંને સંતાનોને રાખવાનો ઈન્કાર કરી દીધો હતો.

જેના કારણે તેને લાગી આવ્યું હતું. બીજી તરફ આ અંગે તેના પરિવારજનોને જાણ થતા પ્રકાશને મનાવવા અને લગ્ન કરવા માટેની મિટીંગ બોલાવી હતી. પરંતુ એકલવાયા જીવનથી કંટાળી અને પ્રેમીએ સંતાનો સાથે લગ્ન કરવાની ના પાડતા લાગી આવતા તેણે ઝેરી દવા પી લીધી હતી. બાદમાં મીટીંગ જયાં બોલાવાઈ હતી ત્યાં ખેરડી ગામે પહોંચી હતી.

Read About Weather here

જયાં ઉલ્ટીઓ કરવા લાગતા તેને સિવિલમાં ખસેડાઈ હતી. જો કે ફરીયાદ કરવાનો તેણે ઈન્કાર કરતા પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here