રાજકોટ મનપાની ફુડ શાખા દ્વારા સઘન ચેકીંગ
વાસી અખાદ્ય રગડો, બટેટા, સોસ, મીઠ્ઠી ચટણીનો નાશ કરાયો
રાજકોટ મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા એફએસએસએ-2006 અન્વયે પાણીપુરીના પાંચ અને આઇસ્ક્રીમનો એકમ નમુનો લેવાયો હતો તે નાપાસ થયા હોવાનું જાહેર કરાયું છે.
Visit Saurashtra Kranti Homepage here
કોઠારીયા રોડ વિસ્તારમાં રેંકડી તથા દુકાનોમાં 20 ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી દરમ્યાન વાસી અખાધ રગડો 4 કિલો, વાસી બટેટા 4 કિલો, સોસ 2 કિલો અને મીઠ્ઠી ચટણીનો સ્થળ પર નાશ કરાયો હતો. પાણીપુરીના પાંચ નમુના લેવાયા હતા.
પાણીપુરીનો માવો (પ્રિપેડ લુઝ), ખજુરનું મીઠું પાણી, પાણીપુરીનો બટેટાનો મસાલો, ખજૂરની ચટણીમાં ઇ-કોલીના બેકટેરીયા હાજર જોવા મળેલ. મસ્કા અમેરીકન ડ્રાયફ્રુટ (100 મીલી પેક)માં ફુડ કેટેગરી દર્શાવેલ ન હોવાથી નમુનો નાપાસ થયો હતો.
ગત તા.6ના રોજ મહાનગરપાલિકાનસ ફુડ શાખા દ્વારા કોઠારીયા રોડ વિસ્તારમાં રેકડી તથા દુકાનોમાં ખાધ્ય ચીજોની ચકાસણી કરવામાં આવી હતી.
કોઠારીયા રોડ પર આવેલ ઉમેશ પાણીપુરી સેન્ટરમાંથી વાસી રગડો 3 કિલો, વાસી બટેટા 4 કિલો, ખોડિયાર ભેળમાંથી વાસી સોસ 2 કિલો, આઇશ્રી ખોડિયાર પાણીપુરીમાંથી વાસી રગડો, સંતોષ દાબેલી ઘુઘરામાંથી વાસી મિઠી આવી હતી.
Read About Weather here
અન્ય રેકડી તથા દુકાનોમાં ચકાસણી કરવામાં આવી હતી. સાંજના અલ્પહારની મુખ્ય વેરાયટી એવા પાણીપુરીના થેલાઓ પર છાશવારે ગંદકી વગેરેની ફરીયાદો સાંભળવા મળતી હોય છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here