Visit Saurashtra Kranti Homepage here
પાકિસ્તાનના પેશાવરમાં ઍક મસ્જિદમાં આજે નમાજ દરમિયાન બોમ્બ વિસ્ફોટઃ ઓછામાં ઓછા ૩૦ લોકોના મોત
પાકિસ્તાનના પેશાવરના કોચા રિસાલદારની મસ્જિદમાં આજે બોમ્બ વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં 30 લોકોના મોત થયા છે અને 50થી વધારે લોકો ઘાયલ થયા છે.
પેશાવરના શહેર પોલીસ અધિકારી ઈજાઝ અહસનના જણાવ્યા મુજબ 30 મૃતદેહોને હોસ્પિટલમાં લવાયા છે. એક પોલીસ ઓફિસરનું પણ મોત થયું છે.
પોલીસના જણાવ્યા મુજબ બે હુમલાખોર મસ્જિદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યા હાજર બન્ને પોલીસમેને તેમને પડકાર્યા હતા અને ફાયરિંગ થયું હતું. જેમાં એક પોલીસ જવાન સહિત થયો હોત અને બીજો ગંભીર રીતે ઘાયલ થયો છે. ત્યાર બાદ આ હુમલાખોરોએ મસ્જિદમાં બ્લાસ્ટ કર્યો હતો. નજરે જોનારનું કહેવું હતું કે આ પ્રચંડ વિસ્ફોટ હતો, જ્યારે મેં આખો ખોલી તો ચારે બાજુ ધૂળની ડમરીઓ અને લોકોના મૃતદેહો હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે.
Read About Weather here
અને ૫૦ થી વધુ ઘાયલ પાકિસ્તાનના પેશાવરમાં ઍક મસ્જિદમાં આજે નમાજ દરમિયાન બોમ્બ વિસ્ફોટઃ ઓછામાં ઓછા ૩૦ લોકોના મોત અને ૫૦ થી વધુ ઘાયલ
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here