પંજાબમાં વન-ડે વિશ્ર્વ કપ મેચ બાદ કાશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલો, અનેકને ઇજા

પંજાબમાં વન-ડે વિશ્ર્વ કપ મેચ બાદ કાશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલો, અનેકને ઇજા
પંજાબમાં વન-ડે વિશ્ર્વ કપ મેચ બાદ કાશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલો, અનેકને ઇજા

યુપી અને બિહારના તોફાની તત્વોએ માર માર્યાનું જાહેર

ભારત અને પાકિસ્તાનના ટી-20 વિશ્ર્વકપ મેચમાં ભારતનો પરાજય થયા બાદ પંજાબમાં વિવિધ કોલેજમાં રહી અભ્યાસ કરતા કાશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલા થયા હતા અને એમને ઢોરમાર મારવામાં આવ્યો હતો એવું જાહેર થયું છે.

Visit Saurashtra Kranti Homepage here

ઉત્તરપ્રદેશ અને બિહારના કેટલાક તોફાની તત્વોએ હોસ્ટેલમાં ઘુસી કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યાની ઘટના બની હતી. પંજાબનાં સંઘરૂર શહેરમાં ઇજનેરી કોલેજમાં અભ્યાસ કરતા કાશ્મીરી વિદ્યાર્થીઓના હોસ્ટેલ રૂમમાં ઘુસીને હુમલા કરવામાં આવ્યા હતા.

તોફાની તત્વોએ હોસ્ટેલમાં ઘુસી જઇ લોખંડના સળીયા અને લાકડીઓ સાથે કાશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલા કર્યા હતા. અનેક વિદ્યાર્થીઓને હાથ અને પગમાં ઇજાઓ થઇ હતી. એક વિદ્યાર્થીએ ફેસબુક પર હુમલાની ઘટનાનું જીવંત પ્રસારણ કરી દીધુ હતું.

એમના પર હુમલો કરનારા યુપી અને બિહારના વિદ્યાર્થીઓ હોવાનું પોલીસમાં જાહેર થયું હતું. બે કાશ્મીરી વિદ્યાર્થીઓએ પોલીસમાં જણાવ્યું હતું કે, યુપી અને બિહારી વિદ્યાર્થીઓ અમારા રૂમમાં ઘુસી ગયા હતા.

Read About Weather here

આ વિદ્યાર્થીઓ અમારી હોસ્ટેલના ન હતા. ઘણા વિદ્યાર્થીઓએ એમના રૂમનાં દરવાજા બંધ કરી દીધા હતા. સ્થાનિક પંજાબી લોકોએ વચ્ચે પડીને બચાવ્યા હતા.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here