માણાવદરમાં નવા પ્રેસની બાજુમાં રહેતા દાદુભાઈ મશરીભાઇ સોલંકી (ઉ.વ.૫૦) નામના પ્રોઢએ પડધરી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગઈ તા ૧૧/૬ ના સાંજના સમયે રાજકોટ જામનગર રોડ પર આવેલા તરઘડી ગામ પાસે ગોકુલપુરના પાટિયા નજીક તેનો નાનોભાઈ રોડ ક્રોસ કરતો હતો ત્યારે બાઈક નંબર જીજે ૩-જે-એફ-૩૯૦ ના ચાલકે રાહદારીને ઠોકરે ચડાવતા તેને શરીરે ગંભીર ઈજા થતા સારવારમાં ખસેડવામાં આવતા તેનું સારવાર દરમ્યાન હોસ્પીટલમાં મોત નીપજ્યું હતું.