શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સાથે વિચાર-વિમર્શ કરીને શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, મહામંત્રી લીનાબેન રાવલ, કિરણબેન હરસોડાએ શહેરના તમામ વોર્ડના મહિલા મોરચાના પ્રભારીઓની જાહેરાત કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
આ તકે તેઓએ જણાવેલ કે, જનસંઘ કે ભાજપના સ્થાપનાના પાયામાં રાષ્ટ્રવાદની વિચારધારા, લોકકલ્યાણની યોજનાઓની સાથોસાથ દેશનું ગૌરવ વધે, દેશમાં સ્વાભિમાન વધે તે દિશામાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કાર્ય કરતા આવ્યા છે.
ત્યારે શહેર ભાજપ મહિલા મોરચાના વોર્ડના નવનિયુકત પ્રભારીઓની આ ટીમ મહિલા મોરચાના સંગઠનને વધુ મજબુત બનાવશે.ત્યારે શહેર ભાજપ મહિલા મોરચાના નવનિયુકત વોર્ડ પ્રભારીઓને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,
રાજયના મંત્રી અરવીંદ રૈયાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, મેયર ડો . પ્રદિપ ડવ, સુરેન્દ્રનગર જિલ્લા સંગઠનના પ્રભારી નિતીન ભારદ્વાજ, ભાવનગર શહેર સંગઠનના પ્રભારી કશ્યપ શુકલ,
Read About Weather here
જિલ્લા સંગઠનના પ્રભારી રક્ષાબેન બોળીયા, મહિલા મોરચાના અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર સહીતના અગ્રણીઓએ તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી શુભેચ્છા પાઠવેલ હતી. શહેર ભાજપ કાર્યાલયમંત્રી હરેશ જોષીએ જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here