જમીન હેતુફેરના આક્ષેપો અંગે કોંગ્રેસના નેતાઓ સામે બદનક્ષીની નોટીસ અને પોલીસમાં રજૂઆત

જમીન હેતુફેરના આક્ષેપો અંગે કોંગ્રેસના નેતાઓ સામે બદનક્ષીની નોટીસ અને પોલીસમાં રજૂઆત
જમીન હેતુફેરના આક્ષેપો અંગે કોંગ્રેસના નેતાઓ સામે બદનક્ષીની નોટીસ અને પોલીસમાં રજૂઆત

ખોટા આક્ષેપો કરનારા કોંગ્રેસના નેતાઓ સામે પગલાં લેવા પોલીસ કમિશનરને ભાજપ નેતા નીતિન ભારદ્રાજની લેખીત રજૂઆત
કોંગ્રેસના આગેવાનોએ ગુનાહિત કાવતરૂ રચી દેશવિદેશમાં આબરૂ અને પ્રતિષ્ઠાને નુકશાન પહોચાડવાનું કામ કર્યુ: પગલા લેવા માંગ

રાજકોટ શહેર અને આસપાસ આવેલી સહારા કંપનીની જમીનનાં હેતુફેર થઇ ન શકે તેવા કેટલાક સર્વે નંબરની કેટલીક કિંમતી જમીનોનો હેતુફેર કરાવી ભાજપનાં પૂર્વ મુખ્યમંત્રી સહિતનાં ભાજપ આગેવાનોએ રૂ.500 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું કોંગ્રેસનાં નેતાઓએ સનસનાટી ભર્યો આક્ષેપ કર્યો હતા. ત્યારે આજે ભાજપ અગ્રણી નિતીન ભારદ્રાજે કોગ્રેસના આગેવાનો સામે પોલીસ કમિશનરને ફરીયાદ કરવામાં આવી હતી અને કોગ્રેસના રાજકીય આગેવાનોને બદનક્ષીની નોટીસ પણ પાઠવવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

રજૂઆતમાં અને નોટીસમાં જણાવ્યું હતું કે, વર્તમાન પત્રોમાં તથા ઈલેકટોનીક મીડિયામાં વાહીયાત આક્ષેપો કરનાર કોગ્રેસના રાજકીય નેતાઓએ કોઈપણ આધાર પુરાવા વગર ખોટા આક્ષેપો કરીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને બદનામ ક2વાનું એક ષડયંત્ર ક2વામાં આવેલ હતું ભારતીય જનતા પાર્ટીના આગેવાને તેઓની સામે ખોટા આક્ષેપો કરેલ હોવાથી પોલીસ કમિશ્નરને કોગ્રેસના આગેવાનો સામે ફોજદારી ફરીયાદ આપેલ છે અને લાગતા વળગતા કોંગ્રેસના આગેવાનોને બદનક્ષીની નોટીસ પણ પાઠવેલ છે . કોગ્રેસના આગેવાનો અખબારોમાં જે આક્ષેપો કરેલ હતા કે , તેના જવાબમાં પોલીસ કમિશ્નરને બદનક્ષીની ફોજદારી ફરીયાદમાં 1 ) અંગત મદદનીશ વિરોધ પક્ષના કાર્યાલય 2 ) સુખરામભાઈ રાઠવા 3) શૈલેષભાઈ 52મા2 4) સી.જે.ચાવડા વિ . સામે બદનક્ષીની ફરીયાદ દાખલ કરતા જણાવેલ હતું કે , સમગ્ર ગુજરાત રાજય તથા રાજકોટ શહેરમાં એક આબરૂદાર તથા પ્રતિષ્ઠીત વ્યકિત છીએ , સમગ્ર ગુજરાત રાજયમાં અમો ફરીયાદી સમાજના એક નિષ્ઠાવાન આગેવાન છીએ તથા જાહેર જીવનમાં આબરૂદાર તરીકે છાપ ધરાવીએ છીએ તેમજ જાહેર જીવન દરમ્યાન અમારી સામે આજ સુધી એકપણ આક્ષેપ લાગ્યો ન હોય , જેનાથી ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં તથા રાજકોટ શહે2 માં વસતા લોકોમાં એક સ્વચ્છ અને સાફ છબી ઉભી કરેલ છે .

ફરીયાદી છેલ્લા ઘણા વર્ષોથી રાજકીય તથા પ્રજાના પ્રતિનિધિ તરીકે સેવાઓ આપતા હોય અને રાજકોટ તથા ગુજરાત માટે હંમેશા કાર્યરત રહેતા હોય , પરંતુ કોંગ્રેસના આગેવાનો એકબીજા સાથે મીલાપીપણું કરી , ગુનાહીત કાવત્રુ રચી ગેરકાયદેસર રીતે દેશ – વિદેશમાં ફરીયાદીની આબરૂ તથા પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડી સમાજમાં વર્ષોથી રહેલ આબરૂ તથા પ્રતિષ્ઠાને ઈરાદા પૂર્વક નુકશાન પહોચાડવા ઈરાદે ગે2કાયદેસ2 ના કૃત્યો કરેલ છે .

જેના હીસાબે રાજકીય કારકીર્દી ક્ષેત્ર , સામાજીક ક્ષેત્રે ફ 2ીયાદીની પ્રસ્થાપિત થયેલ પ્રતિષ્ઠા અને આબરૂને નાણામાં ન આંકી શકાય તેટલું નુકશાન થયેલ છે . કોગ્રેસના આગેવાનો દ્વારા ફરીયાદીની ગરીમા , પ્રતિષ્ઠા અને આબરૂને નુકશાન પહોંચાડવાના બદઈરાદે કોઈપણ જાતના આધાર પુ2ાવાઓ વિના વિરોધપક્ષના નેતાનું કાર્યાલય ગુજરાત વિધાનસભા ગાંધીનગર વાળા લેટર હેડ મારફત તા . 22/02/2022 ની અખબાર યાદી માં રૂ . 500 કરોડથી વધુ રકમનું નાણાંકીય કૌભાંડ આચ2વાના ઉદેશથી અપાયેલ ઝોન ફે2ફા2 ની મંજૂરીઓ તાત્કાલીક અસ2 થી 2દ કરો વિધાનસભા વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા તથા ખાનગી કંપનીઓમાં નાગરીકોના ફસાયેલ નાણાં પરત અપાવવા ખાનગી કંપનીની જમીનમાં શ્રી સરકાર દાખલ કરો વિધાનસભા વિરોધપક્ષના ઉપનેતા શૈલેષ 52મા2 તથા સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલ બિલ્ડરો , પૂર્વ મુખ્યમંત્રી તથા ભાજપના આગેવાનોની સીબીઆઈ મા2ફત તપાસ કરાવો કોંગ્રેસ પક્ષના દંડક સી.જે.ચાવડા જેવા હેડીંગો હેઠળ ગુજરાત સરકારના પુર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી ઉપર ભ્રષ્ટાચારના તથ્યવિહીન અને તદન ખોટા આક્ષેપો ક2ેલ છે.

જે અખબાર યાદીના છેલ્લા ફકરામાં સામાવાળાઓએ નીચે મુજબ આક્ષેપો લખેલ સહારા કંપનીની વિવિધ સ્કીમોમાં રોકાયેલ નાણા અને પ્લોટીંગના નામે ઉધારાવેલ નાણાં પરત અપાવવા મો રસ દાખવી કંપનીની જમીન શ્રી સ2કા2 ક2વાના બદલે સહારા ઈન્ડિયાની જમીનમાં ઝોન ફે2ફા2માં ભારતીય જનતા પક્ષના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજકોટના ભાજપના આગેવાન નીતિન ભારદ્રાજના આગ્રહના કારણે અંદાજે રૂ . 500 કરોડથી વધારે રકમનું કૌભાંડ આચાર્યુ હોવાનો આક્ષેપ કરી ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા સુખરામભાઈ રાઠવા , વિધાનસભા કોગ્રેસ પક્ષના ઉપનેતા શૌલેષ પરમાર અને કોગ્રેસ પક્ષના દંડક સી.જે.ચાવડાએ સંયુક્ત રીતે પત્રકાર અને મીડિયાના મીત્રોને માહીતી આપતા જણાવ્યું હતું.

Read About Weather here

નાગરીકોના હિતમાં રાજય સરકારે તાત્કાલિક નિર્ણય કરી આ ઝોન ફે2ફા2ની મંજુરીઓ તાત્કાલીક અસરથી રદ કરવી જોઈએ અને જમીન શ્રી સરકાર કરવી જોઈએ તેમજ રાજકોટના આર.કે.બિલ્ડર્સ, શેઠ બિલ્ડર્સ અને અન્ય કથા અને કેટલા બિલ્ડરો ભાગીદારીથી આ જમીન પડાવવા માંગે છે તેની અને તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરેલ નિર્ણય અને આ નિર્ણયમાં રાજકોટના ભાજપના આગેવાન નીતીન ભારદ્વાજ અને અન્યોની સંડોવણીની ભૂમીકા અંગે સમગ્ર પ્રકરણની સીબીઆઈ મા2ફત તપાસ થવી જોઈએ તેવી કોંગ્રેસ પક્ષ માંગણી કરે છે .આ કામમાં ફરીયાદ પક્ષે ત2ફે એડવોકેટ દીલીપ પટેલ , જયદેવ શુકલ , ધીરજ પીપળીયા , વિજય પટેલ, કલ્પેશ નસીત, સુમીત વોરા, જીજ્ઞેશ વિરાણી, શ્રીકાંત મકવાણા, કમલેશ ઉઘરેજા, રોકાયા હતા .

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here