વહુને છૂટાછેડા આપવા સાસુ અને સસરાનું દબાણ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
મોરબી રોડ બાયપાસ પાસે મેરીગોલ્ડ એપાર્ટમેન્ટમાં માવતરે રહેતી મૂક-બધિર પરિણીતા અંકિતાબેને સુરતના વરાછામાં રહેતા પતિ જયદીપ, સસરા મુકેશભાઇ ગોહેલ અને સાસુ શીતલબેન સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેના લગ્ન 2017માં જયદીપ સાથે થયા છે.લગ્નના પાંચ દિવસ પછી જ પતિ, સાસુ-સસરાએ સામાન્ય બાબતોએ ઝઘડો કરી ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટની મૂક-બધિર પરિણીતાએ સુરત સ્થિત પતિ સહિતના સાસરિયાઓ સામે માર મારી દહેજની માગણી તેમજ છૂટાછેડા આપી દેવાનું દબાણ કરી માનસિક, શારીરિક ત્રાસ આપ્યાની મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પોતે મૂક-બધિર હોવાને કારણે સાસુને ગમતું ન હતું. જેથી તેઓ પતિને દહેજ માગવા ચડામણી કરતા હતા. જેને કારણે પતિ પોતાને પિયરથી દહેજ લઇ આવવા દબાણ કરી માર મારતા હતા.

Read About Weather here

જ્યારે સાસુ-સસરા દહેજ મુદ્દે મેણાં મારતા હતા. અંતે પતિ તેમજ સાસુ-સસરાનો અનહદ ત્રાસ થતા પોતે રાજકોટ પિયર આવી ગઇ હતી. સમાધાન માટે અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમાં કંઇ નહિ થતા અંતે મહિલા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે.દાંપત્ય જીવન ન તૂટે તે માટે અવારનવાર દહેજ સહિતના મુદ્દે સાસરિયાઓનો ચાર વર્ષ સુધી ત્રાસ સહન કર્યો હતો.ચાર વર્ષ ત્રાસ સહન કરતા સાસુ-સસરાની ચડામણીથી પતિ જયદીપ છૂટાછેડા આપવા દબાણ કરતા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here