ચોટીલા-જસદણ રોડ પર આવેલા ચુનારાવાડની ગોળાઈમાં કાર ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા બાઈક સ્વાર પ્રૌઢનું ધટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.
Subscribe Saurashtra Kranti here
બનાવનાં પગલે જસદણ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત મુજબ જસદણનાં બાખલવાડ ગામે રહેતા રામજીભાઈ વિભાભાઈ પલાળીયા (ઉ.વ.32) નામના યુવાને જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે
કે ગઈકાલે બપોરના સમયે તેના પિતા વિભાભાઇ નરશીભાઈ પલાળીયા પોતાનું બાઈકને જીજે- 3 એકયુ- 4515 વાળું લઇ જતા હતા
ત્યારે ચોટીલા જસદણ રોડ પર આવેલા ચુનારાવાડની ગોળાઈવાળા રસ્તે પહોંચતા સામેથી રોંગ સાઈડમાં આવતી કાર
નંબર. જીજે-13 એચ.એન-278 નાં ચાલકે સ્વાર પ્રૌઢને ઠોકરે ચડાવતા બાઈક સ્વાર પ્રૌઢને શરીરે ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.
Read About Weather here
બનાવનાં પગલે જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાતા હેડ કોન્સ્ટેબલ અરૂણાબેનએ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here